________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટમે પ્રાણ ૧
વ્યાસ ઋષિ પણ દયાને માટે ભગવદ્ગીતામાં અપેક્ષાએ સારા વિચારે જણાવે છે. ભાગવતમાં પણ યજ્ઞયાગાદિકમાં પશુઓ હોમવાને નિષેધ કર્યો છે. કેટલાક રાજાઓ, અને ઠાકોરો વગેરે દશરાના દિવસે બકરાં અને પાડાનો નાશ કરે છે. પાડાઓને મારવાથી કોઈ પણ જાતને લાભ થતો નથી. જીવની હિંસા કરવાથી ઉલટું અપમંગળ થાય છે. દેવીઓ પાડા વગેરેના લોહીને ખાતી નથી. દેવીને જે પાડા ખાવા હોય તે વગડામાં પણ હોય છે ત્યારે ત્યાં કેમ ખાઈ જતી નથી? ખરેખર આ બેટો રીવાજ છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રયાસથી ઘણુ રાજાઓએ દશરાના દિવસે થતી હિંસા અટકાવી છે. વાંસદાના રાણાએ પણ કેટલાક પાડા મારવાને નિષેધ કર્યો છે. માટે તેમને ધન્યવાદ ઘટે છે. આશા છે કે એક પણ પાડાને ભેગ થતા અટકશે.
મનુષ્યો જેમ જેમ સત્યધર્મના સિદ્ધાંતો વાંચે છે, સાંભળે છે. ત્યારે તેમના મનમાંથી હેમના વિચાર નીકળી જાય છે. જૈન ધર્મ પુરથ અને પાપનું સ્વરૂપ સારી રીતે જણાવે છે, તેમજ પુનર્જન્મના સિદ્ધાંત પરિપૂર્ણ માને છે તેથી જૈન ધર્મ ઉત્તમ ધર્મ ગણાય છે. જૈન ધર્મનું સ્વરૂપ કહેનારા સર્વજ્ઞ તીર્થકરો હતા તેથી જૈન ધર્મ ઉત્તમ કહેવાય છે તે સ્વાભાવિક છે.
* જે જે તીર્થંકર થયા તે સર્વ ક્ષત્રિય વંશમાં જન્મેલા ઉત્તમ રાજપુત્ર હતા, તેથી ક્ષત્રિય વર્ગને જૈનધર્મ કહેવાય છે. હાલના સમયમાં ક્ષત્રિય અસલ પિતાના બાપ દાદાને જનધર્મ તજીને અન્ય ધર્મ પાળે છે અને વળી જૈન ધર્મ ઉપર તિરસ્કાર બતાવે છે તે કેટલું શોચનીય છે ??? જૈન ધર્મ રાજધર્મ છે તેની ખરી ખુબીઓ તેના પૂર્ણ અભ્યાસીઓ જાણે છે. દયાના જે ઉત્તમ સિદ્ધાંત જૈન ધર્મમાં ઉત્તમ છે તેના લીધે સર્વત્ર પ્રસિદ્ધ છે. | સર્વ ધર્મનો સમાવેશ દયામાં થાય છે. દયા એ સર્વ પ્રાણુઓને ધર્મ છે. અને દયાધર્મ તે જૈનધર્મને મુખ્ય સિદ્ધાંત છે, માટે રાજાઓએ દયા ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ. હે રાજન! જો તમે સર્વ જીવોની દયા કરશો તો આ ભવમાં પણ સુખી થશો. દયાના પ્રતાપથી દેવતાઓ તમારી સહાય કરશે. દયાનો બદલો મળ્યા સિવાય રહેનાર નથી.
જગતની ઉન્નતિ ધાર્મિક કેલવણુથી થાય છે, આપણું લોક પિતાને ધર્મ બરાબર જાણતા નથી. તેથી તેઓ પ્રીતિ પાદરીઓના ઉપદેશથી
For Private And Personal Use Only