________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૩
જૈન ધર્મને પરિપૂર્ણ જ્ઞાતા થઈ શકે કે જેથી જૈન તત્વ જ્ઞાનને ફેલાવે થાય પણ આતે તેથી ઉલટું દેખાય છે. અનેકાન્ત તત્ત્વ શું છે એનું સ્વરૂપ સમજે નહીં એવા પૈસાના માલીથી ત્રણ કાળમાં જૈનની ઉ. ન્નતિ થઈ શકે છે કેટલાક કહે છે કે બારીસ્ટર વા કેઈ ઇંગ્લીશ વિશેષ જાણે તેને કોન્ફરન્સને પ્રમુખ કરવો જોઈએ. પણ સમજવાનું કે જે બારીસ્ટર જૈન ધર્મનું જ્ઞાન પામ્યા નથી, જૈન ધર્મપર શ્રદ્ધા નથી. જેમને આચાર ધર્મથી ઉલટ છે, વકીલો પણ તેવા હોય તે જૈન ધર્મની ઉન્નતિના માટે પ્રમુખપદ શી રીતે શોભાવી શકે ? આત્મભોગી મનુષ્ય ધર્મને ઉદ્ધાર કરી શકે છે. જે જે ધર્મમાં મહાત્મા થયા છે તેની પાસે કંઈ સત્તા કે લક્ષ્મી નહોતી, પણ ત્યાગ, વૈરાગ્ય અને આત્મભેગથી હજારો મનુબ્દોને ધર્મના રસ્તે વાળી શક્યા. સત્તા વા લમીવાળાઓનો અનાદર કરે એવું તે કંઈ કહેવાનું કે સમજવાનું નથી. કિંતુ જેની જેવી યોગ્યતા હેય તેજ કાર્યને માટે તે લાયક થઈ શકે છે. કોન્ફરન્સના મંડપ ઉપર ચઢી ભાષણ આપનારે પ્રથમ તો જૈનધર્મનું સારી રીતે જ્ઞાન મેળવવું જોઈએ. સાત વ્યસનથી દૂર રહેવું જોઈએ, માન અને કીર્તિને અધ્યાસ દૂર કરે જોઈએ. જે જે ભાષા આપવાં તે જૈન ધર્મની રીતીએ આપવાં જોઇએ, જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ, કહેણું પ્રમાણે રહેણું રાખવી જે. ઈએ. આ પ્રમાણે ભાષણકારે ખરા જીગરથી પ્રયત્ન કરે તે કોન્ફરન્સની સૂ ર્યની પેઠે પ્રતિદિન વૃદ્ધિ થતી જાય. કોઈની તેડી તૂટે નહિ. કોન્ફરન્સમાં હજાર રૂપિયાનાં બેઠકોમાં ખર્ચ થાય છે તે શા માટે કરવાં જોઈએ? પ્રથમના જેને દરેક તીર્થના ઠેકાણે વા સંઘયાત્રામાં વા ગામમાં પણ એક ઝાઝમ અને ગાદીના ખર્ચે ઠાઠ વિના હજારો ભેગા થઈ શકતા હતા. હાલ તે સાહેબની ખુરશી પ્રમાણે ખુરશી જોઈએ. પણ સાહેબના જેવા કયાં ગુણુ છે?તીયાં પહેરનારને શું ભેયપર બેસતાં હરકત આવે છે. નકામો કેમ પૈસો ખર્ચ જોઈએ? ઠાલી દમામ કેમ રાખવો જોઈએ ? જૈન ધર્મના સાધુ જુઓ કેવી સ્થિતિમાં છે. વિહાર કરે છે ત્યારે સર્વસામાન પિતે ઉચકે છે તેથી શું તે હીન થઈ ગયા ? પિતાના ગુરૂઓનું આટલું વર્તન ધ્યાનમાં રાખી જેનશ્રાવકે માનદશા ભૂલી કોન્ફરન્સ ભરે તે અન્યને અનુકરણીય થઈ પડે. અન્યકેમ જેમ કરે તેમ કરવું જોઈએ. આવી વિચારશક્તિ વિનાની અને નુકરણીય ટેવ પશ્ચાત્તાપ પાત્ર બનાવે છે. અને અંતે સદાકાળ એક સરખી સ્થિતિમાં રહેવાતું નથી. આર્યસમાજીઓ તેમજ થીઓસોફીસ્ટા પિતાના ધમને વધારવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. ત્યારે જેને કેમ ઉંઘતા હશે ?
For Private And Personal Use Only