________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૧
છે. જ્ઞાનને પરવસ્તુમાં ઇષ્ટ અને અનિષ્ટબુદ્ધિ રહેતી નથી તેથી તેને પરવસ્તુઓ એક સરખી સમાન ભાસે છે. પરવસ્તુમાં શત્રુ અને મિત્રપણાની બુદ્ધિ રહેતી નથી વસ્તુતઃ પરવસ્તુ તે આત્માની નથી. આત્મા સર્વથી ભિન્ન છે. સચ્ચિદાનન્દ સ્વરૂપમય છે, આત્મા જ ખરાબ વિચારોથી દુઃખી થાય છે. અને શુભ વિચારોથી સુખી થાય છે. આત્મા જ અજ્ઞાનથી પરવસ્તુમાં ઈષ્ટાનિષ્ટપણું કલ્પે છે અને આત્મા જ જ્ઞાન અને ચારિત્રબળથી પરવસ્તુમાં ઇટાનિષ્ટપણું કલ્પને નથી, જ્ઞાની સત્તપુરૂષોને મોહક પદાર્થો જેટલી મેહની અસર કરી શકતા નથી. તેના કરતાં અજ્ઞાનીઓને અનંત ગણી મોહની અસર કરે છે. જ્ઞાની જ્ઞાનમગન રહેરે પાપ મેલ સબધોય, ઉદાસીન કરણ કરેરે, હર્ષ શેક નવિહોય. જ્ઞાની જ્ઞાનમાં સદાકાળ મગ્ન રહી પાપ મેલને ધોઈ નાંખે છે, પ્રારબ્ધ કર્મના યોગે કાયાદિક ક્રિયાઓ કરે છે પણ તેમાં હર્ષ શોક ધારણ કરતો નથી. આવી જ્ઞાનિની દશા પ્રાપ્ત
કરવા યોગ્ય છે. ધર્મધુરંધર, ધર્મશાસ્ત્ર જક, તથા આચાર્ય ઉપાધ્યા- પ્રરૂપક વ્રતપાલક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ વિછે અને સાધુઓ શેષતઃ તત્ત્વજ્ઞાનના અભ્યાસી હોય છે. સર્વ ગૃહસ્થના જ્ઞાનદશાથી નિ- કરતાં જ્ઞાન ચારિત્ર આનંદ આદિ સદ્ગણે પ્રાપ્ત કરે લપ રહી શકે છે.. છે તેથી તેઓ ભવ્યજનોના સંબંધમાં આવે છે, છતાં
અન્તરથી ન્યારા રહી ઉપકાર કરી શકે છે, આવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ જ્ઞાનદશાથી આશ્રવના એટલે કર્મના હેતુ એને પણ કર્મ નાશ થાય તેવા રૂપે પરિણામાવે છે. જનસંસર્ગ શિક્ષણ આહારાદિક ક્રિયાઓ કરે છે છતાં જ્ઞાનદશાથી નિર્લેપ રહી શકે છે. * ગૃહસ્થ કરતાં આચાર્ય વગેરે વિશેષતઃ સમભાવની સ્થિતિ જ્ઞાનદશાથી જાળવી શકે છે અને ઉપાધિના સંયોગોમાં પણ નિરૂપાધિદશા અન્તરથી ભોગવે છે. આત્મજ્ઞાન પામેલા આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિવરની વિશેષતઃ જ્ઞાન અને ચારિત્ર દશા રહી શકે છે. તેજ કારણથી પરમાત્મા સર્વજ્ઞ શ્રી વીરભગવાને આચાર્યને જ પોતાના ધર્મ શાસનના ઉપરી બનાવ્યા છે અને ગૃહસ્થને ભક્ત બનાવ્યા છે. ગૃહસ્થો પણ જ્ઞાનદશા પામી દેશ થકી ચારિત્રની બારવ્રત રૂપ દશા પ્રાપ્ત કરી શકે છે અને કર્મને નાશ કરવા પ્રયત્ન કરે છે. સાધુમાગે અને ગૃહસ્થના બે માર્ગ શ્રી વીરભગવાને કેવલજ્ઞાનથી પાડયા છે તે યથાયોગ્ય આત્મોન્નતિના માર્ગ છે. જેને જેવી ગ્યતા હોય તેવા માર્ગમાં તે રહી શકે છે.
જ્ઞાનિની દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનથી જ્ઞાનિની દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મા અનંત
For Private And Personal Use Only