SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત, ગતિમાં ભટકે છે. અનાધિરથી એ તારી સાથે લાગ્યા છે. એ કષાય અભવ્ય જીવ આશ્રી નવિનતમાં ભાંગે છે. ભવી જીવ આશ્રી અનાજ સાંત ભાગે છે. સંસારનું બીજ કષાય છે. કષાય રૂ૫ બીજનો નાશ થતાં અવશ્ય સંસારને નાશ થવાને. ચાર ગતિરૂપ જે સંસાર છે તેને કોઈ દિવસ નાશ થતો નથી પણ ચાર ગતિરૂપ સંસારમાં ભટકવાને નાશ થાય છે એમ સમજવું. ભણીને ગને પણ અંતે રાગ દેષાદિ નાશ થાય તેમ કરવાનું છે. શ્રી યશોવિજમળ ઉપાધ્યાયજી કહે છે. પઢો પર ચા નો રિવ્યો જ નવો ચાર, કથા વોટુ પેસ્ટ, વહી જવા પ્રકાર ૨ જીનેશ્વર ભગવતે કથન કરેલાં તો જાણી સહી આદરવા યોગ્ય હોય તેને આદરવાં અને ત્યાગ કરવાને યોગ્ય હોય તેનો ત્યાગ કરવો. શ્રી તીર્થંકર મહારાજાએ અનન્ત જ્ઞાને જે વસ્તુનું જેવું સ્વરૂપ જાણ્યું તેવું પ્રકાસ્યું છે. નિગોદાદિકનું સ્વરૂપ અલ્પબુદ્ધિથી યુક્તિપૂર્વક સમજવામાં આવે નહીં તોપણ. શ્રદ્ધાગમ્ય તે જાણવું. ભો!! વિચારે કે, તીર્થંકર મહારાજાનાં વચન સાંભળી સમજી પ્રમાદ, નિંદા વગેરેમાં નકામ વખત ગાળીશું તે પછી જાણ્યું તે પણ નહીં જાણ્યા જેવું થશે. કાલ જે શુભ કૃત્ય કરવાનું હોય તે આજ કરી લેવું. ઘડી એકને ભરૂં નથી. સમયે સમયે કરી આયુષ્ય ઘટતું જાય છે. વખત વહી જશે. મનનું ચિંતવ્યું મનમાં રહેશે, માટે હે ચેતના પ્રમાદરૂપ નિદ્રાને ત્યાગ કરી તારું ભલું કરવા ઉઠ, તારું ભલું તારા વિના બીજાથી થવાનું નથી. આ લેખ વાંચે છે તે પહેલાં તું શું કામ કરતો હતો ? સારું કે ખેરું? તે કામ પરભવમાં સાથે આવશે કે નહીં ? એક દિવસમાં સૂર્યની પણ ત્રણ અવસ્થા થાય છે. તો તું ચેતન મનમાં વિચાર કે, તારી ઘડી પછી કેવી અવસ્થા થશે. સાપુને ભરૂં નથી. દાન, શીયલ, તપ, "ભાવ, એ ચાર ભેદે કરી ધર્મ આરાધન કરી લે. ૩ વાર છે. દાન, શીયલ તપ અને ભાવના એ ચાર પ્રકારે ધર્મનું સાધન કરવું તે પણ પરમાત્મપદ પામવાને માટે જ. પરમાત્મપદની આકાંક્ષા રાખી ધર્મ કૃત્ય કરવું સફળ થાય છે. કીર્તિદાન, ઉચિતદાન, આ આત્માએ ઘણું વાર કર્યા પણ હજી તેને પાર આવ્યું નથી. અને આત્મા હજી ભટકે છે તેનું કારણ પણ તેજ છે. અભયદાન અને સુપાત્ર દાન થકી આત્મા પરમાત્મપદ પામી શકે છે. અમવન બે પ્રકારે છે. ૨ દ્રવ્ય મથેન, ૨ માલ મચવન પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરવું અર્થાત પ્રાણુઓને મારતાં અટકાવવા તેને દ્રવ્ય - મહાન કહે છે. જ્ઞાનને અભ્યાસ કરાવો, જીવોને આત્માના સ્વરૂ૫ની સમજણ પાડવી, નવતત્વ, દ્રવ્ય, સાતનય, સપ્તભંગી વગેરેનું સ્વરૂપ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy