________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
હેતુભૂત તેજેયુક્ત શરીર તેની પ્રાપ્તિ થાય છે તેને ઉદ્યોત નામ
કર્મ કહે છે. ર૭ જેના ઉદયથી વૃષભ તથા હંસની પેઠે સારી ચાલવાની શક્તિ
પમાય છે તેને શુભવિહાયોગતિ નામકર્મ કહે છે. ૨૮ જેના ઉદયથી પિતાના અંગનાં સર્વ અવયે યોગ્ય સ્થળને
વિષે ગોઠવવાની શક્તિ સૂત્રધારની પેઠે પ્રાપ્ત થાય છે તેને
નિર્માણ નામકર્મ કહે છે. ત્રસદશક. ર૯ જેના ઉદયથી જીવને બેઈદ્રિયના શરીરની પ્રાપ્તિ થાય છે અર્થાત
એકેંદ્રિયનું શરીર પામે નહીં તેને ત્રસ નામકર્મ કહે છે. ૩૦ જેના ઉદયથી બાદરશરીરની પ્રાપ્તિ થાય છે તેને બાદર નામ
કર્મ કહે છે. ૩૧ જેના ઉદયથી પિતાપિતાની પર્યાપ્તિ પૂરી કરે, તે પર્યાપ્તિ બે
પ્રકારે છે. એક લબ્ધ, બીજી કરણ. તેને પર્યાપ્તિ નામકર્મ
૩૨ જેના ઉદયથી ઔદારિક અથવા વૈક્રિય પ્રમુખ ભિન્ન ભિન્ન
શરીરની પ્રાપ્તિ થાય પણ ઘણું છે વચ્ચે એક શરીર ન
પામે તેને પ્રત્યેક નામકર્મ કહે છે. ૩૩ જેના ઉદયથી શરીરના દંતાદિક અવયવ સ્થિર થાય તેને
સ્થિર નામકર્મ કહે છે. ૩૪ જેના ઉદયથી શરીરના સર્વ અવયવ સારા હોય અથવા નાભિના
ઉપરનું શરીર સારું હોય તેને શુભ નામકર્મ કહે છે.
For Private And Personal Use Only