________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्वविचार ग्रन्थ प्रस्तावना.
આ તત્ત્વવિચાર ગ્રન્થની પહેલી આવૃત્તિ શ્રી જૈન જ્ઞાનપ્રસારક મંડળે મુંબઈમાં વિ. સં. ૧૯૬૦ માં શાતિસુધાકર પ્રેસમાં છપાવને ચાર આનાની કિંમત રાખી બહાર પાડી હતી.
જૈન જ્ઞાનપ્રસારક મંડળના આગેવાને ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા ઝવેરી અમરચંદ કલ્યાણચંદ તથા જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઈ ફતેહચંદ આનરરિ સેક્રેટરી હતા અને તે મંડળ અને મારા ઉપદેશથી ઝવેરી જીવણચંદ ધરમચંદે સ્થાપ્યું હતું અને સુરતના ઝવેરી ભણસાળી ચુનીલાલ બાલુભાઈ તે મંડળ તરફથી પુસ્તક છપાવવા ઘણે ઉત્સાહ ધરાવતા હતા. વિ. સં. ૧૯૫૮ ની સાલનું ચેમાસું પાદરાના સંઘના આગ્રહથી અમારા ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજની સાથે પાદરામાં કરવામાં આવ્યું. તે વખતે સુથાવક વકીલ શાહ મેહનલાલ હીમચંદ તથા વકીલ ત્રિભવન દલપતભાઈ તથા વકીલ નંદલાલભાઈ લલ્લુભાઈ વિગેરે અમારી પાસે નવતત્ત્વનું સ્વરૂપ ધારતા હતા તે વખતે આ ગ્રન્ય પાદરામાં વિ. સં. ૧૯૫૮ ના આશાડ સુદિ ત્રીજના દિવસે વકીલ મોહનલાલ હીમચંદના હિતાર્થે રચ્યો હતો. આ તત્ત્વવિચાર ગ્રન્થમાં પ્રથમ શ્રાવક ધર્માચાર ઉપર નિબંધ પૃષ્ઠ ૧૧ ને લખેલે છે. અને તેમાં શ્રાવકની કરણ બતાવી છે. પશ્ચાત તેરમા પાનાથી તત્ત્વવિચાર ગ્રન્થ શરૂ કર્યો છે તેમાં જીવન ૫૬૩ ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે તથા દેવ, નારકીઓ, મનુષ્ય અને તિનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. પશ્ચાત ચારગતિના છેને છ પ્રકારની લેમ્યા પૈકી કયી કયી લેમ્યા
For Private And Personal Use Only