SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧. પહેલે તથા બીજે દેવલેકે ૨૭૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૫૦૦ યોજન વિમાનની ઉંચાઈ, ત્રીજે તથા ચોથે દેવલેકે ૨૬૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૬૦૦ જન વિમાનની ઉંચાઈ, પાંચમે તથા છે કે દેવલે કે ૨૫૦૦ એજન પૃથ્વીપિંડ અને ૭૦૦ યોજન વિમાનની ઉંચાઈ, સાતમે તથા આઠમે દેવલોકે ૨૪૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૮૦૦ યોજન વિમાનની ઉંચાઈ, નવમે, દશમ, અગિયારમે તથા બારમે એ ચાર દેવલે કે ૨૩૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૯૦૦ જન વિમાનનું ઉંચપણું, નવ રૈવેયકે ૨૨૦૦ એજન પૃથ્વીપિંડ અને ૧૦૦૦ એજન વિમાનનું ઉયપણું, પાંચ અનુત્તરવિમાને ૨૧૦૦ ચિજન પૃથ્વીપિંડ અને ૧૧૦૦ જન વિમાનની ઉંચાઇ છે. સૌધર્મ તથા ઈશાનદેવલેકે ધજા સહિત પાંચે વર્ણનાં વિમાન છે. સનત કુમાર તથા માહે એક કાળે વર્ણ વજીને ચાર વર્ણનાં વિમાન છે. બ્રહ્મ તથા લાંતકે કાળા અને નીલ વર્ણ વજીને ત્રણ વર્ણનાં વિમાન છે, શુક્ર તથા સહસ્ત્રારે કાળો, નીલે અને રાતો એ ત્રણ વર્ણ વજીને બે વણનાં વિમાન છે. ત્યાંથી ઉપરના આણુતાદિ ચાર દેવકે તથા નવ રૈવેયકે તથા પાંચ અનુત્તર વિમાને ધોળા વર્ણનાં વિમાન છે. ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષિનાં વિમાન વિવિધ વર્ણવાળા જાણવાં. પહેલા દેવલેકના પહેલા પ્રતરને વિષે ઉડુ નામે મુખ્ય ઈક વિમાન છે તે વૃત્રાકારે થાળ સરખું પિસ્તાલીસ લાખ જન પ્રમાણુ છે અને સર્વના ઉપર છેલ્લા બાસઠમા પ્રતરે એક લાખ યોજનનું સર્વાર્થસિદ્ધ નામે વૃત્રાકારે વિમાન છે. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy