________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર રિગ્રંથમાળાના ગ્રંથાંક ૯૨ તરીકે આ તત્ત્વવિચાર ગ્રંથ પ્રકટ કરવામાં આવે છે કે જેના રચયિતા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય રોગનિ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી છે. આ ગ્રંથ પાદરાના વકીલ મોહનલાલ હિમચંદ વગેરેના હિતાર્થે સં. ૧૯૫૮માં રચવામાં આવેલ છે. આ ગ્રંથનું નામ વાંચતાજ તેમાં કયા વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે તે સહજ સમજાય તેમ છે. ગ્રંથની અંદરના તમામ વિષયો તત્વજ્ઞાનના છે અને જૈન ધર્મના અભ્યાસી સુન્ન બંધુઓએ જાણવા યોગ્ય છે. બાળ વૃદ્ધ સર્વે બંધુઓને દરેક વિષયનું સ્વરૂપ સમજવા માટે આ ગ્રંથની રચના ગુજરાતી ભાષામાં ગદ્યમાં કરવામાં આવેલી છે. તત્ત્વજ્ઞાન સિવાય જૈન ધર્મનું સ્વરૂપ સમજી શકાય નહિ અને તેને માટે ગુરૂશ્રીએ દીક્ષાની શરૂઆતમાં તત્ત્વવિચાર નામને ગ્રંથ કે જેની અંદર તત્વને જૈન શાસ્ત્રાધારે પ્રબંધ કરેલ છે તે દરેક વિષય જૈન ધર્મનું સ્વરૂપ જાણવા માટે અનેક વખત પુનઃ પુનઃ વાંચવા યોગ્ય છે. ગુરૂશ્રીએ અત્યાર સુધી પિતાને ઘણો સમય પુસ્તકો લખવામાં કાઢેલ છે. અને તેઓશ્રીનાં પુસ્તકો જ્યાં ત્ય પ્રસિદ્ધિને પામેલા છે એ જાણી સુજ્ઞ બંધુઓને આનંદ થશે. આ ગ્રંથની અંદર સહાય મળી નથી છતાં પણ મંડળ સસ્તી ડિંમતે પુસ્તક પ્રગટ કરી વેચે છે. એ ચાલુ પેજના અખંડિતપણે ચાલે તે હેતુથી આ ગ્રંથની કિંમત માત્ર ૦-૬-૦ રાખવામાં આવી છે. ભવિષ્યમાં પણ મંડળ તરફથી અનેક પુસ્તકે પ્રસિદ્ધ કરવાનું બને
For Private And Personal Use Only