________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંગળી ભેળી કરીયે તે યોગમુદ્રા.) પછી પિતાને ઘેર જઈ પ્રભાત સમયની ક્રિયા કરે. પછી ભજન, વસ્ત્ર અને ઘરના માણસની ચિંતા કરે, બાંધવ તથા દાસને પોતપોતાના કાર્યને વિષે થાપીને આઠ બુદ્ધિના ગુણે કરી સહિત પિશાળે ગુરૂ પાસે જાય,
૧ ગુરૂસેવા, ૨ ધર્મ સાંભળ, ૩ ધર્મ ગ્રહણ કરે, ૪ ધાર, ૫ વિચાર, ૬ ઉહાપોહ કર, ૭ અર્થ જણ, ૮ તત્ત્વજ્ઞાન કરવું એ આઠ બુદિના ગુણ જાણવા. શાસ્ત્ર સાંભળવાથી ધર્મને જાણ થાય. તેથી દુષ્ટ મતિનું છાંડવું થાય, જ્ઞાન પામે, વૈરાગ્યની પ્રાપ્તિ થાય, માટે પિશાળે જઈ બે હાથ, બે પગ અને મસ્તક, એ પંચાંગવડે ગુરૂ અને બીજા સાધુઓને ખમાસમણ દઈને ગુરૂની આશાતના છાંડત થકે ધર્મ સાંભળવા બેસે. ગુરૂ પાસે બેઠાં થકાં પગ ન બાંધીએ, પગ લાંબા પ્રસારીએ નહિ, પગ ઉપર પગ ન ચડાવીએ, કાખ ઉંચી કરી બતાવીએ નહિ, પાછળ બેસવું નહિ, આગળ બેસવું નહિ, પડખે બેસવું નહિ, પરંતુ ગુરૂ સન્મુખ બેસવું. બીજા આવેલ માણસને ગુરૂના બેલાવ્યા વિના પિતે બેલાવવા નહિ. ગુરૂના મુખ સન્મુખ એકાગ્ર ચિત્તથી દષ્ટિ રાખી ધર્મ સાંભળવા બેસે, પિતાના મનના સંદેહ ટાળે. વ્યાખ્યાન ઉઠયા બાદ દેવગુરૂના ગુણ ગાનારા યાચકવર્ગને યથાશક્તિ દાન આપ્યા પછી યથાશક્તિ પચ્ચખાણ કરે, કેમકે વિરતિ વિના જે દાતાર હોય તે પણ તિર્યચની યોનિમાં જઈ ઉપજે, હાથી ઘોડાના ભવ પામે, ભોગ ભોગવતાં પણ બંધનમાં પડ્યા રહે, પચ્ચખાણ સહિત દાન દેનાર નરકે ન જાય, તિર્યંચમાં ન જાય, દયાવંત હોય તે આયુષ્ય હીન ન થાય, સત્યવાદી હોય તેને માટે સ્વર ન હોય તપસ્યા સર્વ ઈદ્રિયરૂપ
For Private And Personal Use Only