________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધતત્વ.
બંધતત્વના–૧ પ્રકૃતિબંધ. ૨ સ્થિતિબંધ, 8 અનુભાગબંધ, ૪ પ્રદેશબંધ. એ ચાર ભેદ છે. ૧ પ્રકૃતિબંધ–પ્રકૃતિ એટલે સ્વભાવ.
૧ જ્ઞાનાવરણયકર્મને જ્ઞાનઅપહારક સ્વભાવ છે. ૨ સામાન્ય ઉપયાગરૂપ જે દર્શન તેને નાશ કરવાને સ્વભાવ,
દર્શનાવરણયકર્મને છે. ૩ અનંત આવ્યાબાધ સુખને ટાળવાને વેદનીયકર્મનો સ્વભાવ છે. ૪ સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાનો મોહનીયકર્મને સ્વભાવ છે. ૫ અસ્થિતિને ટાળવાને આયુકર્મને સ્વભાવ છે, ૬ શુદ્ધ અવગાહનાને ટાળવાને નામકર્મનો સ્વભાવ છે. ૭ આત્માના અગુરુલઘુ ગુણને ટાળવાને ગોત્રકર્મનો સ્વભાવ છે. ૮ અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભેગ,
અનંત વીર્યગુણ ટાળવાને અંતરાયકર્મને સ્વભાવ છે. આંખના પાટા સમાન જ્ઞાનાવરણયકર્મનો સ્વભાવ છે.
દર્શાનાવરણયકર્મ પિળિયા સમાન છે. જેમ કેઈએક જીવ રાજાનું દર્શન કરવા વાંછે પણ પિળિયે દર્શન કરવા ન દે, તેમ જીવનો સામાન્યપણે સર્વ વસ્તુ દેખવાને સ્વભાવ છે; પણ દર્શનાવરણીયકર્મના ઉદયથી ન દેખે.
વેદનીયકર્મ તે મધુલિપ્ત તીર્ણ ખની ધારાનું જે ચાટવું તે સમાન છે. જેમ તે ખધારાને ચાટતાં તો મીઠાશ ઉપજે પણ જેવારે જીભ કપાય તેવારે અશાતા થાય, એમ શાતાદનીયન
For Private And Personal Use Only