SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) ઉપદેશ દેવો, જૈનતોનું સારી રીતે સહેલાઈથી બાળજીવને જ્ઞાન થાય એવાં પુસ્તક રચવાં, જૈનધર્મનો ઉપદેશ દેતા એવા સાધુઓ તથા સાવીઓને સહાય કરવી, ગુણ પુરૂષના ગુણે ગ્રહણ કરવા, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિઓને ધારણ કરવી, જૈનમાં મિથ્યાત્વના રીવાજો, તથા નકામા ખર્ચે તથા બાલલગ્નાદિ દુષ્ટ રીવાજોનો પ્રચાર થતે જે જે ઉપાયોથી અટકે તે તે ઉપાયે હાથમાં લેવા. તીર્થની ઉન્નતિ આદિમાં લક્ષ્ય આપવું. પ્રભુ પ્રતિમાની શ્રદ્ધા કરાવવી. સર્વ સાધુઓ તથા સાથીઓને ચારિત્ર પાળવામાં સહાય આપવી. ઈત્યાદિ આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તક આદિ પદવીધારકોનાં કર્તવ્યો છે. વિશેષ માટે સિદ્વાન્તનું શ્રવણ કરવું તથા ગીતાર્થ ગુરૂઓને પૂછવું. પ્રશ્ન–જેનધર્મની શ્રદ્ધાવાળા તથા તેને પાળનારા જૈને વિના અન્ય ધર્મવાળાઓ મિથ્યાત્વી ગણાય છે ત્યારે તેઓનું ભલું જૈનધમેથી શી રીતે થઈ શકે? તેમજ આખી દુનિયાને જૈનધર્મથી શું ફાયદો થઈ શકે? ઉત્તર-જૈનધર્મથી જૈનેનું ભલું થાય છે તેમજ અન્ય ધર્મવાળાઓને પણ જૈનધર્મના વિચારે ગ્રહણ કરવાથી ફાયદો થઈ શકે છે, જૈનધર્મ અમુક જ્ઞાતિ ના અમુક વર્ણને ધર્મ નથી, આખી દુનિયાને માટે જૈનધર્મનાં બારણું ખેલાં છે. સાપેક્ષાપૂર્વક તત્તનું સ્વરૂપ સમજી યથાશક્તિ સગુણેને લેવા અને દુર્ગાને ત્યજવા એ જૈનધર્મનો સાર છે, તેને હક સર્વને છે. જેનધર્મમાં વર્ણજાતિનો ભેદભાવ નથી, ગમે તે વર્ણ વાં જાતિવાળા પુરૂષ અને સ્ત્રીઓ જૈનધર્મને પાળી શકે છે, જૈનધર્મથી સર્વ પર ભાતૃભાવ ઉત્પન્ન થઈ શકે છે, ગમે તે દેશના મનુષ્યનું તથા પશુ પંખીઓનું પણ જૈનધર્મવડે ભલું કરી શકાય છે. દુર્વ્યસનને ત્યાગ થાય છે, જગમાં સર્વત્ર શાન્તિ પ્રસરે છે. જૈનધર્મથી મનુષ્યોના આત્માઓની શક્તિ વધે છે. જેઓ જૈને નથી તેના ઉપર દયાભાવ મૈત્રીભાવ વગેરે રાખી શકાય છે. જૈનધર્મથી મલીન વિચારોને નાશ થાય છે, ગમે તે વર્ણ (જ્ઞાાતિવાળા) ગમે તે ધંધે કરતાં છતાં પણ જે જૈનતાને સમજી સત્ય દેવ ગુરૂની શ્રદ્ધા ધારણ કરે છે તે તે આત્માના સગુણેની ઉન્નતિના ક્રમમાં જોડાય છે, સાત નોની સાપેક્ષાવાળે, કેવલજ્ઞાની મહાવીર કથિત જૈનધર્મ અમુક અમુક નયની અપેક્ષાએ, આખી દુનિયાને આત્મિક સદ્દગુણેની ઉન્નતિમાં સાધનભૂત ઉપયોગી થાય છે. નાની સાપેક્ષાવિના દરેક તત્ત્વનું સ્વરૂપ સમજાતું નથી. જે લેકે નાની સાપેક્ષાવિના પદાર્થોનું એકાંતનયે સ્વરૂપ માની વસ્તુનું સમ્યક સ્વરૂપ જાણી શકતા નથી તેઓની વિપરીત દૃષ્ટિ હેવાથી તે મિથ્યાત્વટણિ For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy