SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ઉત્તર–તેઓની એવી માન્યતા ત્રણ કાલમાં સત્યરૂપ નથી. માયાને ઉપરી ઈશ્વર; ને માયા લગાડે છે એમ માનતાં ઈશ્વરમાં અનેક દેષનો આપ આવે છે. અને તેથી ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી. જોને માયા લગાડવાનું વિતરાગ ઈશ્વરને કંઈ પણ પ્રોજન નથી. માટે એવી માન્યતા પણું સિદ્ધ થતી નથી. રાગ દ્વેષ આદિ કર્મ દેને નાશ કર્યા વિના કોઈ ઈશ્વર, પરમાત્મા, સિદ્ધ થતું નથી. જે જી કર્મને નાશ કરે છે તે સિદ્ધ, ઈશ્વર થાય છે. તેથી “જીવો કદી ઈશ્વર થતા નથી એવી કલ્પનાની માન્યતા પણ સિદ્ધ થતી નથી. આત્માએને લાગેલાં આવરણને ક્ષય થવાથી આત્માઓજ, સિદ્ધ, બુદ્ધ, ઈશ્વર થઈ શકે છે. આત્માઓની પરમામદશા થવામાં કઈ પણ વિધી દલીલ ટકી શકતી નથી. રાગ દ્વેષને જે નાશ કરે છે તે પરમાત્મા, કમરહિત સિદ્ધ ભગવાન થઈ શકે છે. અનેક આત્માએ કમને ક્ષય કરી પરમાત્માઓ થયા અને થશે. છો, ઈશ્વરના અંશરૂપે છે એવી કલ્પનાની માન્યતા પણ કેઈ પુરાવાથી સિદ્ધ થતી નથી. આ ભાઓમાં અને ઈશ્વરમાં દ્રવ્ય અને પર્યાયવ એકસરખું સત્તાએ છે. આત્માઓ અજ અખંડ છે અને અસંખ્યાત પ્રદેશ છે. તેઓ અનાદિકાળના છે તેથી તે કંઈ ઈશ્વરના બનાવ્યા સિદ્ધ થતા નથી. જો તેઓ ઈશ્વરના ટુકડા હોત તો તેઓ અંશરૂપે ગણાત પણ તેમ નથી. ઈશ્વરના ટુકડારૂપે, (અંશરૂપે) આત્માઓને, કઈ કહે તે તેઓ, ઈશ્વરના ટુકડા થયા તેથી ઈશ્વર પણ અંશી બની ગયું તેથી તે સર્વવ્યાપક તેના મત પ્રમાણે સિદ્ધ થશે નહીં, માટે ઈશ્વરના અંશરૂપ આત્માઓ માનતાં અનેક દોષે આવશે. જીવોને માયા લગાડનારે રાગી અને દ્વેષી ઈશ્વર ઠરવાથી તેમાં ઈશ્વરતા રહેતી નથી, અને માયાને લગાડનાર જે માયાથી ભિન્ન માનશે તે ઈશ્વરે જગત્ રમ્યું એમ માનવું મિથ્યા કરશે. પૂર્વોક્ત ત્રણ તની વ્યવસ્થામાં અનેક દે આવે છે માટે તેમ પણ માની શકાય નહીં. અને તેથી જગત્ કર્તૃત્વ પણ ઈશ્વરમાં સિદ્ધ થાય નહીં. પ્રશ્ન–આ જગતનું ઉપાદાનકારણ કેણુ? અને નિમિત્તકારણ કોણ? ઉત્તર–જેનધર્મ પ્રમાણે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાલ એ છ દ્રવ્યનું અનાદિકાળથી આ જગત કહેવાય છે. અને અનન્તકાળ પર્યત તેની સ્થિતિ છે. દરેક દ્રવ્ય, કવ્યાર્થિકનયની અપેક્ષાએ કારણરૂપ છે અને દરેક દ્રવ્ય, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કાર્યરૂપ છે. એક દ્રવ્ય છે તે અન્ય દ્રવ્યમાં નિમિત્ત કારણરૂપે અપેક્ષાએ વતી શકે છે. પુદ્ગલ દ્રવ્યના For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy