SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨ ) કદાપિ એમ કહેવામાં આવે કે ઈશ્વરવિષ્ણુએ કર્માનુસારે જીવાને અવતાર આપ્યા ત્યારે તે એમ કહેતાં ઇશ્વરવિષ્ણુ પાતે પરતંત્ર ઠરે છે, કારણ કે તે કર્મના અનુસારે પ્રવૃત્તિ કરી જીવાને સુખદુ:ખ આપે છે માટે તેવા ઈશ્વવિષ્ણુનું ભજન કરવાથી શેઠ લાભ? અલમત કંઇ લાભ નથી. કારણ કે તે કર્યાં કર્મથી કંઇક અધિક તેા આપવા સમર્થ નથીએમ કહેશે કે જીવને કર્મના લગાડનાર ઈશ્વર છે તેા સિદ્ધ કર્યું કે કોઇને સુખી અને કાઇને દુઃખી મનાવવાથી ઈશ્વર, રાગીદ્વેષી ઠેરવાથી ઈશ્વરતા ઉપર પાણી ફરે છે–જો ઈશ્વરે જીવાને કર્મે લગાડ્યાં એમ માના તે ઈશ્વરે સર્વને સારી બુદ્ધિવાળા-આસ્તિક અને સુખી કેમ ન બનાવ્યા ? તમે કહેશેા કે જેવી ઈશ્વરની મરજી !!! વાહ-વાહ– એમ શું કહેવાય ? ઈશ્વર. દયાળુ અને જ્ઞાની હોય તે જીવાને સારા સુખીજ બનાવી શકે, અને મરજી પણુ સારીજ થઇ શકે. પણ તેમ ન હોવાથી ઈશ્વરમાં અનેક દાષા પ્રાપ્ત થાય છે માટે ઈશ્વર વિષ્ણુથી જીવા બની શકતા નથી અને તે કોઇને સુખદુઃખ આપી શકતા નથી એમ સિદ્ધ ઠરે છેઈશ્વરવિષ્ણુ પાતાના અનાવેલા જીવાના સંહાર કરે તે તેનામાં નિર્દયતા ઠરે છે, કારણ કે સામાન્ય સ્ત્રીપણુ પાતાના ખાલકને મારી નાખતી નથીબાલક પણ પેાતાની અનાવેલી વસ્તુનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે તેનાથી પણ ઈશ્વર વિષ્ણુનું વર્તન વિરૂદ્ધ ઠર્યું માટે તેમ પણ માની શકાય નહીં. જે આ જગતને ઈશ્વરની લીલા કહા તે લીલા કરીને હજારા જીવાને દુ:ખ દેનારા એવા મનુષ્યાને ન વારવા જોઇએ-દયા-તપ-જપ-ધ્યાન પ્રમુખ ઈશ્વરને રૂચતાં હોય તે ઈશ્વરવિષ્ણુ કદાપિ એવી લીલા કરે નહીં. લાકમાં પણ કહેવાય છે કે જીવાદિના ઘાત થતા . હેાય એવી લીલાને ઈશ્વરે નિષેધ કર્યા છે ત્યારે બીજાઓને નિષેધ કરનાર ઈશ્વર વિષ્ણુ પાતે કેમ લીલા કરી જીવાના મહાપ્રલય વખતે સંહાર કરે? અલખત મહાપ્રલય વગેરે કરે નહીં અને જીવાના સંહાર પણ કરે નહીં. કારણ કે વીતરાગ એવા વિષ્ણુ ઈશ્વરને રાગ દ્વેષ હાતા નથી. જે લાકા ઈશ્વર વિષ્ણુમાં જીવાના ઉત્પાદ-પ્રલય વગેરેના આરોપ કરે છે તે ઈશ્વર વિષ્ણુ ઉપર હિંસાદિ દોષના આરેપ ચઢાવે છે-માટે સમજવાનું કે ઈશ્વર કાઈ જીવાને ઉત્પન્ન કત્તા નથી-તેમજ ઉત્પાદ-પ્રલય પણ કર્તા નથી—કદાપિ એમ કહેશે કે જગત્ એ ઈશ્વરની લીલા છે ત્યારે આ સંસાર, ઈશ્વરને ઇષ્ટ હોય તા સંસારી જીવાએ ઈશ્વરની પ્રાપ્તિમાટે કેમ દયા-દાન-વગેરે ધર્મ કરવા જોઇએ ? કારણ કે સંસાર છે તે ઈશ્વરને બ્રિજ છે તેથી સંસારના પાર આવવાના નથી માટે એવા અસંબદ્ધ પ્રલાપ માની શકાય નહીં.— For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy