________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) ભિન્ન ભિન્ન આત્માઓ માને છે. આર્યસમાજીએ પણ પ્રતિશરીર ભિન્ન ભિન્ન વેદના આધારે અનન્ત આત્માઓ સ્વીકારે છે–રામાનુજ ૫ન્થવાળાઓ પણ પ્રતિશરીર ભિન્ન ભિન્ન વેદના આધારે અનન્ત આત્માઓ સ્વીકારે છે-બ્રીસ્તિયો પણ મનુષ્યમાં પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માઓ છે એટલું તે માને છે કેટલાક પ્રીસ્તિયો પશુ પંખીઓમાં આત્મા માનતા નથી એ તેઓની મિથ્યાત્વ દશા છે-જે સર્વ ને એકજ આત્મા હોય તો સર્વ જીવોને એકસરખું સુખ દુઃખ થયું જેઈએ-તેમજ સર્વેને એકસરખું જ્ઞાન થવું જોઈએ— સર્વ જીવોને એકજ આત્મા હોય તે પ્રતિશરીર દ્વારા ભિન્ન ભિન્ન વ્યવહાર ન થવો. જોઈએ—કદાપિ એમ કહેવામાં આવશે કે પ્રતિશરીર ભિન્ન ભિન્ન મન છે તેથી સુખ દુઃખ વગેરેને ભિન્ન ભિન્ન વ્યવહાર દેખવામાં આવે છે પણ આત્મા તે એકજ છે–આમ પણ કહેવું યોગ્ય નથી કારણ કે પ્રતિશરીર ભિન્ન ભિન્ન મનની સાથે ભિન્ન ભિન્ન આત્મા માનવામાં ન આવે ત્યાં સુધી-ભિન્ન ભિન્ન મનની પણ સિદ્ધિ થઈ શકતી નથી– આત્માની સાથે મન રહે છે–પ્રતિશરીર ભિન્ન મન માનવાથી પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માઓની સિદ્ધિ થઈ. કેઈએમ કહેશે કે “ઘટાકાશ અને મહાકાશની પેઠે જેમ આકાશને ભેદ ગણાય છે પણ તે વાસ્તવિક ભેદ નથી તે પ્રમાણે ભિન્ન ભિન્ન આત્માઓ પ્રતિશરીર કહેવાય છે પણ તે એકજ છે”—આમ પણ કહેવું યુક્તિથી હીન છે– ઘટાકાશ અને મઠાકાશમાં આકાશ એકસરખું છે–આકાશની સાથે ઘટ અને મઠ પરિણમતા નથી પણ આત્માની સાથે તે રાગદ્વેષના યોગે કર્મનો સંબંધ થતાં ક્ષીરનીરની પેઠે કર્મ પરિણમે છે અને તેથી શરીરમાં આત્મા રહે છે-ભિન્ન ભિન્ન આત્માઓ જુદા પ્રકારનાં કર્મ ગ્રહણ કરે છે તેથી અનેક પ્રકારનાં જુદાં જુદાં શરીર ધારણ કરે છે એમ પ્રત્યક્ષ દેખવામાં આવે છે–શરીર છૂટતાં પણ ઉંચે વા નીચે ગમે તે ઠેકાણે કર્મના અનુસારે આત્મા, ગમન કરી અન્ય શરીર ધારણ કરે છે. તેથી ભિન્ન ભિન્ન આત્માઓ સ્વીકારવા જોઈએ—ભિન્ન ભિન્ન આત્મા સ્વીકાર્યા વિના સુખ દુઃખ વગેરે ભિન્ન ભિન્ન વ્યવહારની સિદ્ધિ થતી નથી–પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માઓ છે એમ ખાસ અનુભવમાં પણ આવે છે.
પ્રશ્ન–બ્રહ્મ એકજ છે અને તે સર્વ વ્યાપક છે એમ માનવું શું યોગ્ય છે?
ઉત્તર–એમ માનવું ગ્ય નથી. બ્રહ્મ કહે કે આત્મા કહો તે વ્યક્તિની અપેક્ષાએ સર્વવ્યાપક નથી–સર્વવ્યાપક એક બ્રહ્મને મા
For Private And Personal Use Only