SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) નવામાં આવે તે તેને અંધ અને મેાક્ષ ઘટે નહી અને જ્યારે અંધ મેાક્ષ ન હોય તા તપ-જપ-યાન ત્રત વગેરેની સિદ્ધિ થઈ શકે નહીં— સર્વે વ્યાપક બ્રહ્મ કહેા તે તે શરીર અને મનથી બંધાય નહીં-શરીર અને મનથી તેા બ્રહ્મ (આત્મા) ના સબંધ થયા છે એમ અનુભવ પ્રત્યક્ષ છે. માટે વ્યક્તિની અપેક્ષાએ સર્વ વ્યાપક બ્રહ્મ કહી શકાય નહીં—માનત્વ જાતિની અપેક્ષાએ થંચિત્ સર્વે વ્યાપક બ્રહ્મ કહી શકાય–એમ અનેકાન્તનયજ્ઞાએ વ્યક્તિ અને સત્તાથી સમજી લેવું—એક ઠેકાણેથી અન્ય દેવલાકમાં આત્મા જાય છે-દેવલાકમાંથી મનુષ્યલાકમાં આત્માના અવતાર થાય છે. મનુષ્યલાકમાંથી નરકમાં અવતાર થાય છે—ઇત્યાદિ એક શરીરવ્યાપી આત્મા માનીએ તેા બધું ઘટી શકે-સર્વ વ્યાપક એક બ્રહ્મ માનવામાં આત્માને અનેક શરીરમાં રહેવું-ઊંચું નીચું જવું વગેરે ઘટી શકે નહીં-પાપ પુણ્ય પણ ઘટી શકે નહીં-બંધ માક્ષના અભાવ થઈ જાય. માટે વ્યક્તિની અપેક્ષાએ શરીરવ્યાપક આત્મા માનવા જોઇએ-અને લોકાલાક જ્ઞાનમાં ભાસે છે તે જ્ઞાનની-અપેક્ષાએ આત્મા સર્વ વ્યાપક માનવા જોઇએ. પ્રશ્ન—વ્યક્તિની અપેક્ષાએ આત્માને એકાન્ત અણુ જેવડો માની શકાય કે કેમ; અણુરૂપ આત્મા, એક ઠેકાણેથી અન્યત્ર ગમન કરી શકે. તેમાં શે દોષ છે? ઉત્તર—વ્યક્તિની અપેક્ષાએ એકાન્તે અણુરૂપ આત્મા માની શકાય નહીં-અણુરૂપે માનેલા આત્મા, શરીરના એક હૃદયના ભાગમાં રહી શકે-તેથી શરીરના સર્વભાગેામાં થતી સુખદુઃખની ચેષ્ટાને જાણી શકે નહીં——પંચેન્દ્રિયના વિષયાને જાણી શકે નહીં તેમજ અણુરૂપ આત્માને કર્મની અનન્ત પરમાણુઓની વર્ગણુાએ લાગી શકે નહીંતેથી તેને કર્મના સંબંધ પણ ઘટે નહીં-અને કર્મના સંબંધ ઘટયાવિના દેવલાક વા નરક વગેરેમાં જવું ઘટે નહીં-એકાન્ત અણુરૂપ આત્મા એકાન્ત નિત્ય હાવાને લીધે કર્મની સાથે પરિણમે નહીં અને કર્મની સાથે પરિણમ્યા વિના જન્મમરણુ–તથા બંધમાક્ષ વગેરેની સિદ્ધિ થાય નહીં–માટે એકાન્ત અણુરૂપ આત્મા વ્યક્તિની અપેક્ષાએ માની શકાય નહીં-અણુરૂપ આત્મા માનવાથી ગમનાગમન થાય એમ કહ્યું પણ કર્મના સંબંધ અણુરૂપ આત્મા માન્યાથી ઘટી શકે નહીં અને તેથી ગમનાગમન થઈ શકેજ નહીં. કારણ કે અણુરૂપ આત્મા એકાન્ત નિત્ય હાવાથી નિષ્ક્રિય ઠરી શકે અને તેથી અણુરૂપ આત્માનું ગમનાગમન સિદ્ધ થઈ શકે નહીં—એકાન્ત અણુ આત્મા અથવા એકાન્ત સર્વવ્યાપક આત્માને એકાન્ત નિત્યતા હોવાથી તે કમઁસહુ પરિણામી થઈ શકે નહીં અને તેથી For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy