SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) દિકાળથી જગત છે એમ સિદ્ધ કર્યું–જે ઈશ્વર, જગની બહાર છે એમ કહેવામાં આવે તો તે પણ કથન અસત્ય કરે છે કારણ કે આકાશવિના ઈશ્વર રહી શકે નહીં અને આકાશ છે તે પણ જગતને એક ભાગ છે--આર્યસમાજીએ પ્રવાહરૂપે પરમાણુરૂપ આ જગત અનાદિકાળથી છે એમ માને છે. અને પ્રલયની અપેક્ષાએ સ્કૂલ આકારવાળા જગત્ની આદિ છે એમ માને છે? પ્રશ્ન–વેદના આધારે જગત્ અનાદિકાળથી છે એમ શું સિદ્ધ ઉત્તર–જગતમાં મુખ્ય બે પદાર્થ છે-ચૈતન્ય કહેવા-આત્મા કહોવા-જીવ કહે, જે છે તે એક ચૈતન્યતત્વ અને બીજું જડતત્ત્વ છે. પૃથિવીજલ-અગ્નિ વાયુ વગેરેના પરમાણુઓના સ્કંધે જડ છે–ચૈતન્યતત્વ અર્થાત આત્માઓ પણ અનાદિકાળના છે અને પરમાણુઓ પણ અનાદિકાળના છે. એમ આર્યસમાજીઓ માને છે–આકાશ પણ અનાદિકાળથી છે–પરમાત્મા પણ અનાદિકાળના છે. ત્યારે આ પ્રમાણે આત્માઓ-પ્રકૃતિ–પરમાણુરૂપ જગ–પરમાત્મારૂપ જગત્ અનાદિકાનથી છે એમ સિદ્ધ કર્યું–શૂલ આકારરૂપ જગની આદિ આર્યસમાજીઓ માને છે–અને સ્થલ પર્યાયરૂપ જગતની આદિ પણ તેમના મતપ્રમાણે સિદ્ધ થાય છે–વેદની માન્યતાવાળાઓ કેટલાક જગતની આદિ પણ સ્વીકારે છે પણ અનાદિ માન્યા વિના છૂટકે થતો નથી. પ્રશ્નજગત્ અનાદિકાળનું છે એમ જ્યારે સિદ્ધ થયું તેથી શે ફલિતાર્થ નીકળે?1 ઉત્તર–જગત અનાદિકાળનું છે એમ સિદ્ધ કર્યું તેથી જગતને બનાવનાર ઈશ્વર નથી એમ વેદના આધારે સિદ્ધ કર્યું–આત્માઓ-પરમાત્મા-પ્રકૃતિ-પરમાણુઓ એજ જગત છે એમ જ્યારે અનાદિકાળથી છે ત્યારે તે વસ્તુને બનાવનાર કેઈ સિદ્ધ ઠર્યો નહિ. ત્યારે તે પદાર્થરૂપ જગત અનાદિકાળથી છે એમ આર્યસમાજીઓના મત પ્રમાણે વેદના આધારે સિદ્ધ કરે છે–અદ્વૈતવાદિ સનાતન વેદાંતિયોની માન્યતાપ્રમાણે વેદના આધારે જગત ભ્રાન્તિરૂપ છે અર્થાત અસત છે ત્યારે અસત્ જગતને કર્તા ઈશ્વર સિદ્ધ કરી શકતો નથી પ્રશ્ન–સૂક્ષ્મ પરમાણુઆદિરૂપ જગત્ અનાદિકાળનું છે તેથી તેને કર્તા ઈશ્વર નથી એમ આર્યસમાજીઓના મત પ્રમાણે છે પરંતુ-પરમાણુઓનું બનેલું જે સ્થૂલ જગત્ છે તેને તે ઈશ્વર બનાવે છે–પરમાણુઓને ઈશ્વર ભેગા કરી અનેક આકાર બનાવે છે–જીએ જેવાં જેવાં કર્મ કર્યો હોય છે તેના અનુસારે જીવોને સુખ-દુઃખ For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy