________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) રાજાએ ન્યાયથી યુદ્ધ કર્યું–કુમારપાલ-વસ્તુપાલ વગેરેનાં ચરિત્રો સમજવાં-આ ઉપરથી સારાંશ કે શ્રાવક, શ્રાવકના અધિકારપ્રમાણે દયા કરી શકે છે અને સાધુઓ પિતાના અધિકારપ્રમાણે દયા કરી શકે છે-સાધુઓને વસવસાની દયા ઉત્સર્ગ માર્ગે પાળવી પડે છે–જૈનશાસ્ત્રાધારે દયા પાળવાને જૈને સદાકાળ પ્રયત્ન કરે છે–દયા એ ધર્મની માતા છે-દયાવિના ધર્મ નથી-કયા જીની વિશેષ દયા કરવી જોઈએ એ પ્રશ્નને ઉત્તર આ આપેલા જવાબમાંથી નીકળી શકે છે.
પ્રશ્ન-જીવ–આત્મા ચેતનમાં કંઈ ફેરફાર હશે કે?
ઉત્તર-જૈન શાસ્ત્રમાં જીવને આત્મા કહે છે અને તેને જ ચેતન કહે છે—માટે જીવ કે આત્માને એકજ અર્થ છે–જૈનમાં જેને બહિરાત્મા કહે છે તેને વેદાન્તમાં જીવાત્મા કહે છે.
પ્રશ્ન–પ્રીસ્તિો -પશુ પંખી વગેરેમાં જીવ માને છે અને મનુષ્યનાં શરીરમાં આત્મા છે– એમ માને છે–જીને કેટલીક લાગણીઓ હોય છે અને તેને મારવામાં પાપ માનતા નથી–ગાય વગેરેના શરીરમાં આત્મા નથી. આમ માને છે તે શું સત્ય છે?
ઉત્તર–ખાસ્તિયોનું તેવું માનવું બરાબર નથી–મનુષ્યના શરીરેમાં જેવા આત્માઓ છે તેવાજ આત્માઓ પશુ અને પંખીઓ વગેરેનાં શરીરમાં રહેલા છે–માટે પશુઓ અને પંખીઓને મારવામાં દેષ લાગે છે–એકેન્દ્રિયાદિથી તે પશુપંખી મા વગેરે સર્વમાં આત્માઓ છે એ સિદ્ધાંત અને શાસ્ત્રો તથા અનેક યુક્તિોથી સિદ્ધ. થાય છે—જેમ મનુષ્યોને ઈષ્ટાનિષ્ટનું જ્ઞાન છે તેમ પશુ અને પંખીઓ વગેરેને પણ ઈષ્ટનિષ્ટનું જ્ઞાન છે—મનુષ્ય જેમ મૃત્યુથી બીવે છે તેમ પશુપંખી વગેરે પણ મૃત્યુથી બીવે છે–મનુષ્ય જેમ ઈષ્ટમાં પ્રવૃત્તિ કરે છે તેમ પશુપંખી વગેરે પણ ઈષ્ટમાં પ્રવૃત્તિ કરે છે–સર્વ જીવોને કર્મનાં આવરણે લાગ્યાં છે તેથી તેઓની, કર્મના ક્ષપશમ પ્રમાણે વિશેષ વા ન્યૂન જ્ઞાનશક્તિ દેખાય છે-કેઈના આત્મામાં ફેરફાર નથી–આ સંબંધીનું વિશેષ જ્ઞાન લેવું હોય તે જૈનના સિદ્ધાંતોને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરવો કે જેથી અજ્ઞાનને નાશ થતાં અનેક શંકાઓને નાશ થશે–એકેન્દ્રિયથી આરંભીને પચ્ચેન્દ્રિય પર્યત સર્વમાં એકસરખા આત્માઓ છે પણ કર્મનાં આવરણે આત્માઓને વિશેષ ન્યૂન લાગવાં તથા તે ઉદયમાં આવવાથી જ્ઞાનાદિક શક્તિમાં વિશેષ ન્યૂનતાને તરતમ ભાવ દેખાય છે તે જૈનશાસ્ત્રો વાંચવાથી માલુમ પડશે
For Private And Personal Use Only