SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) આ પણ દાધર્મ પાળવાથી શૂરાતન હીન થઈ ગયા. શું આ વાત ખરી છે? ઉત્તર-જિન-એટલે જીતનાર અને જીતનારના પગલે ચાલનારને જેના કહેવાય છે—જય મેળવવેા એજ જૈનાનું મુખ્ય કર્તવ્ય છે. દરેક સારી આમતેમાં વિશ્નોને જીતીને આગળ ચાલવું-અનેક કુધર્મોના વિચારોના નાશ કરી જય મેળવવા—સત્યધર્મના તન-મન અને ધનથી પ્રકાશ કરી જગત્માં જય મેળવવે આલસ પ્રમાદ-કલેશ કુસંપ અજ્ઞાન મૈથુન ઈચ્છા-વગેરેના નાશ કરી જય મેળવવાનહંસા જૂઠ ચારી વ્યભિચાર આદિ દોષોને નાશ કરી જય મેળવવા—શારીરિક શક્તિ વાચિક શક્તિ અને માનશિક શક્તિને ખીલવી આત્માની શક્તિયેા મેળવવા પ્રયત્ન કરવા ક્રોધ માન માયા અને લાભને જીતી જય મેળવવા અનેક પ્રકારની ક્ષુદ્રવાસનાઓને જીતીને જય મેળવવા-ધર્મના ફેલાવા કરવા માટે તનમન અને ધનથી પ્રયત્ન કરવા અને હજારો વિશ્નો કે જે સામાં ઉભાં હોય તેને પણ જીતી જય મેળવવેા, જૈનધર્મના સિદ્ધાંતાના જગમાં ફેલાવેા કરી જય મેળવવા કર્મના નાશ કરવા ઉદ્યમ કરવા– શ્રાવક અને સાધુના ધર્મપ્રમાણે જૈનધર્મની આરાધના કરી કર્મ રાજીઆપર જય મેળવવા. ઈત્યાદિ જૈનેન્નતિમાં જે ખરા અંતઃકરણથી આત્મભાગ આપી પ્રયત કરે છે તે ખરેખરા જૈને કહેવાય છે. એવા જેના કદાપિકાળે આયલા હાયજ નહીં-જૈના પશુ પંખી મનુષ્યા કીડી વૃક્ષ વગેરે સર્વે જીવેાનું રક્ષણ કરવા તત્પર રહે છે—હજારો મનુષ્યને અન્નાદિથી પાષે છે-પશુ અને પંખીઓની પણ પાંજરાપોળ વગેરે કરી દયા પાળે છે-કીડી તથા વૃો વગેરેનું પણ રક્ષણ કરવા દયાના વિચારે કરે છે–જીવાને મારી નાખવા એનું નામ શ્રાતન કહેવાય નહીં–દયાના વિચારોથી લડાઇઓ શાન્ત પડે છે અને આખી દુનિયામાં શાંતિ ફેલાય છે. જૈનગ્રહસ્થા કે જે રાજાઓ વગેરે હેાય છે તે ખાસકારપડે યુદ્ધાદિક પણ કરે છે–સંપ્રતિ કુમારપાળ વસ્તુપાળ અને તેજપાલે ખાસકારણે લડાઈના મેદાનમાં પોતાનું શૂરવીરપણું દેખાડી આપ્યું છે— શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ-ભરતચક્રવર્ત-રામચંદ્ર-રાવણ-પાંડવા-૨પ્રદ્યોતન ઉદાયી વગેરે જૈન રાજા હતા તેઓનાં ચરિત્રો જોશે તે માલુમ પડશે કે જૈને બહાદૂર હતા—પૃથ્વીનું રક્ષણ કરવું, સર્વ જીવા ની દયા કરવી એ ગૃહસ્થ જૈનાનું કર્તવ્ય છે. ગૃહસ્થ જૈને દેશથકી દયાના પાળનાર હોય છે અને સાધુએ સર્વ થકી હિંસાના ત્યાગ કરે છે તેથી તેઓ ઉત્સર્ગ માર્ગપ્રમાણે સર્વ જીવાને શાન્તિના તથા અભયદાનના આપનારા હોય છે—સાધુઓ અમારા દેશ અને આ પારકા દેશ એમ For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy