SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીથ તાડપત્ર ઉપર લખાયાને કાળ વિચારીએ તે લગભગ હજારવર્ષ થવાં જોઈએ તાડપત્રની પ્રતિ હજાર વર્ષ થયાવિના ઘણી જૂની થઈ શકે નહિ તે ઉપરથી પણું અનુમાન પુરા મળે છે કે શ્રી વીર પ્રભુનાં વખત લગભગમાં પુસ્તકો લખાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવી જોઈએ, તેમના લગભગમાં મલ્લવાદી થયા છે. તેઓએ જૂના ભંડારમાંથી દ્વાદશસાર નયચક્ર નામનું પુસ્તક વાંચ્યું-ઈત્યાદિ વાત આવે છે અને એક ભંડાર સાવીના તાબામાં હતા ઈત્યાદિ વૃત્તાંત પણ પહેલાંના વખતમાં અર્થાત્ વિક્રમ સંવત પાંચમાં સૈકાની પહેલાં જૈનપુસ્તક લખાતાં હતાં એમ પુરવાર કરી આપે છે–જૈનના શાકટાયન નામના મુનિએ શાકટાયન નામનું વ્યાકરણ બનાવ્યું છે અને તે વ્યાકરણ બહુ પ્રાચીન ગણાય છે. તેને અભ્યાસ અન્યધર્મવાળાઓ પણ કરતા હતા. તેથી તે લખાયાવિના અભ્યાસ બની શકે નહીં. યાસ્કાચાર્ય વેદ ઉપર નિરૂક્ત રચતાં શાકટાયન વ્યાકરણનું પ્રમાણ આપ્યું છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જેનેના ગ્રન્થ શ્રી મહાવીર સ્વામી પહેલાં પણ લખાવાનો રીવાજ હતો—એક પુરા શ્રીસિદ્ધસેન દિવાકરના ચરિત્રથી આપવામાં આવે છે–શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ વિક્રમ રાજાના સમયમાં થયા હતા. શ્રીવીરપ્રભુ પશ્ચાત્ ૪૭૦ ચારસે સિત્તેર વર્ષ લગભગમાં થયા હતા. સિદ્ધસેનસૂરિ વિચરતા વિહારતા એક વખત ચિત્રકૂટ (હાલના ચિત્તોડ)માં આવ્યા હતા. તેમણે એક જિનમન્દિરને થાંભલે જે તેથી તેમણે ઘણી ઔષધિને મેળવી થાંભલાને લેપકર્યો કે તે તુર્ત કમલના દડાની પેઠે ઉઘડી ગયે તેમાં ચમત્કારિ પુસ્તક જેવામાં આવ્યું. તેમાંથી એક પાનું આકઊં વાંચ્યું તેમાંથી ત્રણ વિદ્યાએ મળી. બીજું પાનું વાંચવા જતાં દેવતાએ અટકાવ્યા અને કહ્યું કે બસ તેમના દેખતાં થાંભલે બંધ થઈ ગયે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે-ચિત્રકૂટના મન્દિરના થાંભલામાં તે વખતે પૂર્વે સાતસે આઠસે હજાર લગભગ વર્ષનું લખાયેલું પુસ્તક હોય એમ અનુમાન થાય છે તે પુસ્તક પાંચસે વર્ષપૂર્વે લખાયું એમ અનુમાન કરીએ તો શ્રીવીરપ્રભુને સમય જણાય છે. સાતસેવર્ષ પહેલાં લખાયું એમ અનુમાન કરીએ તે શ્રી પાર્શ્વનાથ સ્વામીના સમયમાં લખાયું હોય એમ સિદ્ધ થાય છે–તે પુસ્તક હજાર વર્ષપૂર્વે લખાયું એમ અનુમાન કરીએ તો શ્રી પાર્શ્વનાથ ભગવાનના પહેલાને સમય સિદ્ધ થાય છે. પણ તે મન્દિર પાર્શ્વનાથનું હોય એમ સંભવ થાય છે. આપરથી પણ સિદ્ધ થાય છે કે જૈનેનાં પુસતકે ઘણું પ્રાચીન સમયથી લખાતાં આવ્યાં છે-સિકંદરાબાદશાહના વખતમાં જે જૈન પુસ્તકે હશે તે તાડપત્ર ઉપર હશે અને તે શ્રી મહાવીરસ્વા For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy