SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તેઓ ભક્તિ-પૂજા–પ્રભાવના વગેરે માં દેવતાઓની પેઠે સારો ભાગ લેઈ યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે–જેઓ સર્વ વિરતિપણું અંગીકાર કરવાને યોગ્ય હોય છે–તેઓ સર્વ વિરતિપણું અંગીકાર કરે છે અને સમ્યકત્વ સહિત પંચમહાવ્રત પાળે છે–પુરૂષને સાધુઓ (શ્રમ) કહેવામાં આવે છે અને સ્ત્રિને દીક્ષા લીધા પછી સાવીએ (શ્રમણુઓ) કહેવામાં આવે છે–સદાકાળ આ ચાર વિભાગમાં જૈને થયા–થાય છે અને થશે–આ ચતુર્વિધ સંઘરૂપ મહાવીર પ્રભુનું તીર્થ છેલ્લા દુષ્પસહસૂરિ પર્યત ચાલશે–ગૃહસ્થાવાસમાં રહેલા શ્રાવકે અને શ્રાવિકાઓસાધુઓ તથા સાધ્વીઓની ભક્તિ કરે છે–સાધુઓ અને સાધ્વીઓ અનેક ભાષાઢારા ધર્મતને અભ્યાસ કરીને ગામેગામ-દેશદેશ ફરી જૈનતાનો ઉપદેશ આપે છે. પ્રશ્ન–પૂર્વોક્ત ચતુર્વિધ સંઘમાં કેની મહત્તા વિશેષ ગણુતી હશે. ઉત્તર-ચતુર્વિધ સંઘમાં સાધુવર્ગની વિશેષ મહત્તા ગણ્ય છેસાધુઓ કરતાં સાધ્વીઓને ઉતરતો દરજજો છે–સાવીઓ કરતાં શ્રાવક વર્ગનો નીચો દરજો, વ્રતની અપેક્ષાએ છે-શ્રાવકે કરતાં શ્રાવિકા વર્ગને નીચો દરજે છે–તેથી સાધુ-સાધી શ્રાવક અને શ્રાવિકા એ પ્રમાણે તીર્થની અનુક્રમ વ્યવસ્થા સમજી લેવી—ગૃહાવાસ કરતાં ત્યાગાવસ્થા અનતગણું ઉત્તમ સૂત્રોમાં કહી છે–મેરૂપર્વત અને સર્ષનો દાણે-સમુદ્ર અને સરોવરમાં જેટલું અંતર છે તેટલું સાધુવર્ગ અને શ્રાવકવર્ગમાં અંતર છે–સાધુપણુમાં જ્ઞાન-દર્શન અને ચારિત્રની સાધના વિશેષતઃ થાય છે. અને સદુપદેશતઃ અનેક જીવોને જૈન બનાવી શકાય છે–સાધુવર્ગમાંથી જ આચાર્ય અને ઉપાધ્યાય થઈ શકે છે–જૈન શાસનના મુખ્ય પ્રવર્તક સાધુઓ હોય છે એક સાધુ પિતાની સંપૂર્ણ જંદગીનો ભોગ આપી જીવે ત્યાંસુધી ચારિત્રની આરાધના કરે છે અને સદપદેશવડે ઘણુ મનુષ્યોને જૈન બનાવી શકે છે–અનાને પણ દારૂમાંસનો ત્યાગ કરાવી શકે છે–કંચન અને કામિનીના ત્યાગી હોવાથી નિઃસ્પૃહપણે વિચારે છે તેથી તેઓના ઉત્તમ જીવનની છાપ મનુષ્યોના હૃદયમાં પડે છે-સાધુઓની-મન-વાણું અને કાયાની પ્રવૃત્તિ ખરેખર જૈનધર્મની ઉન્નતિ માટે વપરાય છે માટે-ગૃહાવાસ કરતાં ત્યાગાવસ્થા ઉત્તમ ગણાય છે–વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીનો પૂર્ણ અભ્યાસ કરી જે સાધુઓ થાય છે અને સાધ્વીઓ થાય છે. તેઓ જૈનધર્મનો સારી રીતે ફેલાવો કરી શકે છે. અને બીજાઓ પિતાનું ચારિત્ર પાળી શકે છે–પણ વિદ્વાન સાધુઓ જેટલે તેઓ અન્યોને ઉપકાર કરી શકતા નથી-અનંત તીર્થંકર થયા અને થશે તેઓએ ગૃહાવાસ છોડીને For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy