SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) દૈવયોગે શ્રેણિકરાજાની કન્યા પરણ્યા હતા. અન્ને સંસાર છેડી સાધુ થયા આદ્રકુમાર-મ્લેચ્છ-યવન-હતા. આદ્ર (અરબસ્તાન પ્રાયઃ ) દેશ કે જે અનાર્ય કહેવાય છે તેમાં જન્મ્યા હતા. તે આર્ય દેશમાં આવ્યા હતા. અને દીક્ષા અંગીકાર કરી હતી—ગૌતમાદિ બ્રાહ્મણાએ જૈનધર્મ અંગીકાર કર્યા હતા. જમાલી વગેરે ક્ષત્રિઓએ (રાજપુત્રોએ રજપુ તાએ) શ્રી વીર્ પ્રભુપાસે દીક્ષા અંગીકાર કરી હતી—સંખ પુષ્ડલી વગેરે ઘણા વિણુકા શ્રીવીરપ્રભુના શ્રાવક અન્યા હતા. એમ ચારેવણો જૈનધર્મ પાળતી હતી. પ્રશ્ન—શ્રીમહાવીર પ્રભુ સર્વજ્ઞ હતા-ઇન્દ્રો દેવતાઓ વગેરે પણ તેમને માનતા પૂજતા હતા. ત્યારે તે વખતમાં આખી દુનિયા કેમ જૈન થઈ ગઈ નહીં. ઉત્તર-અનંત પુણ્યની રાશિ ઉદયમાં આવે ત્યારે જૈનધર્મની શ્રદ્ધા થાય છે. તેના કરતાં પણ અનંત પુણ્યાયે શ્રાવકનાં વ્રત અંગીકાર કરી શકાય છે. તેના કરતાં પણ અનંત પુણ્યાય થયે છતે સાધુપણુ પ્રાપ્ત કરી શકાય છે-અલ્પ પુણ્યવતા કંઈ જૈનધર્મ પામી શકતા નથી-સૂર્ય ઉદય છતાં પણ વડે સૂર્યને દેખી શકતા નથી– તેમ શ્રીમહાવીર સ્વામી સર્વજ્ઞ (કેવલ જ્ઞાની) છતાં પણ સર્વ જીવેાનાં પુણ્ય તથા પરિણામની ધારા એક સરખી નહીં હૈાવાને લીધે આખી દુનિયાના મનુષ્યા જૈના થયા નહીં—પંચ કારણયાગે કાર્યની સિદ્ધિ થાય છે-કાલ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ આ પાંચ કારણેાવડે કાર્યની સિદ્ધિ જ્યાં ત્યાં દેખવામાં આવે છે–જે જીવાને શ્રીમહાવીર પ્રભુના વખતમાં પંચ કારણેાના સમુદાય મળ્યા હતા તે જૈન ધર્મ પામ્યા હતા. અને જે જીવાને પંચકારાના સંયોગ મળ્યો નહેાતા તે જૈનધર્મ પામ્યા ન હેાતા શ્રીમહાવીર પ્રભુ સર્વે જીવાને તારવામાટે ઉપદેશ આપતા હતા. જેઓએ ચાગ્યતા પામી હતી તેઓ જેને અન્યા હતા. પ્રશ્ન-શ્રીમહાવીર સ્વામીએ જૈનાને કયા કયા વિભાગમાં વહેંચી નાખ્યા હતા. ઉત્તર-શ્રીમહાવીર પ્રભુએ સાધુ-સાની–શ્રાવક અને શ્રાવિકા એ ચાર વિભાગ, નાના પાડ્યા હતા અનંત તીર્થંકરો થયા અને થશે તે સર્વે સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘ (તીર્થ )ની સ્થાપના કરી અને કરશે-જેઆને સર્વ વિરતિપણાના લાભ નથી તેએ ગૃહસ્થાવાસમાં રહી શ્રાવકનાં દેશથકી વ્રત અંગીકાર કરેછે-જેઓને દેવિરતપણાના પણ લાભ નથી તે સમ્યકત્વ અંગીકાર કરેછે ૨. For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy