SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અને અમુક અપેક્ષાએ શબ્દની નિત્યતા નથી એમ જે કહે છે તેને વુિં કહે છે, ચા અવ્યય અનેકાન્તનયવાદને ધોતક છે, વસ્તુને એકાન્ત નિત્ય માનવાને સ્થાત્ અવ્યયથી નિષેધ થાય છે તેમજ - સ્તુને એકાન્ત અનિત્ય માનવાને સ્યાત્ અવ્યયથી નિષેધ થાય છે રજૂ અવ્યયના સામર્થ્યથી વસ્તુ કર્થચિત્ નિત્ય અને વસ્તુ કથંચિત્ અનિત્ય છે એમ પ્રતિપાદન થાય છે. એ પ્રમાણે વસ્તુમાં રહેલા સ્યાદ્વાદ ઘર્મને જે નયકથન કરે છે તેને ચાદવનય, નેવાના, સ્વાદાવાલા, યાદાન કહે છે. દુનિયામાં રહેલી દરેક વસ્તુઓ અને તેના ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદનયથી થાય છે, સૂત્રો તથા ગ્રન્થથી તેનું વિશેષ સ્વરૂપ સમજવું. પ્રશ્ન-જગતમાં મુખ્ય દ્રવ્ય કેટલા છે? અને દ્રવ્યનું લક્ષણ શું છે? 'ઉત્તર-દુનિયાના દરેક પદાર્થોને સમાવેશ ષદ્રવ્યમાં થવાથી મુખ્ય પદ્ધ છે, કદ્રવ્યના બહાર કઈ પદાર્થ નથી. બદ્રમાં ફક્ત કાલદ્રવ્ય ઔપચારિક છે પહેલું નતિવાદ અરૂપી દ્રવ્ય છે. અને તે લોકાકાશમાં વ્યાપીને રહ્યું છે. તેના અસંખ્યાત પ્રદેશ છે. જીવ તથા પુદ્ગલ દ્રવ્યને ગમન કરવામાં નિમિત્ત કારણપણે સહાયકારી છે. એજ તેનું લક્ષણ છે. બીજું અધર્માસ્તિ કાય દ્રવ્ય છે અને તે અરૂપી છે, તેના અસંખ્યાત પ્રદેશ છે, તે લોકાકાશમાં વ્યાપીને રહ્યું છે. તે જીવ દ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્યને સ્થિર રહેવામાં નિમિત્ત કારણપણે પરિણમે છે એજ તેનું લક્ષણ છે. દરેક દ્રવ્યને રહેવા અવકાશ આપ એ આરિદ્વાનું લક્ષણ છે. તેના અનન્ત પ્રદેશ છે, આકાશના બે ભેદ છે. ૧ રોવવા ર અવાવરા ધમસ્તિકાયાદિ જે આકાશદ્રવ્યને અવગાહે છે તે વાવેરાઇવ કહેવાય છે. અને ધમસ્તિકાયાદિ જેમાં નથી ફક્ત ચારે તરફ આકાશ છે કે જેને અંત નથી તેને અલકાકાશ કહે છે. આકાશદ્રવ્ય અરૂપી છે. જે મળે છે અને વિખરે છે એવા રૂપી દ્રવ્યને પુદ્ગલદ્રવ્ય કહે છે. પરમાણુ પુરુષ્ણ છે. પરમાણુઓ અનન્ત છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્યના પયૉ અનન્ત છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છાસ, મન અને કાર્મણ, એ આઠ પ્રકારની વર્ગણું પણ પુદ્ગલની બનેલી છે. કર્મ પણ પુદ્ગલદ્રવ્યના પર્યાયે કે જે આત્માને પ્રકૃતિરૂપે લાગેલા છે તે મૂર્ત છે. પરમાણુના સમૂહથી (સ્કોથી) બનેલા અદશ્ય વા દૃશ્ય, ઘટ, પેટ, આદિ સર્વ પર્યાયે યુદ્ધલદ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પશે જેનામાં હોય તેને રૂપી કહે છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાથી તે પુદ્ગલ દ્રવ્ય રૂપી કહેવાય છે, બાકીનાં દ્રવ્ય અરૂપી કહેવાય છે. લંકા For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy