________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨ [૪] ક્ષમા શસ્ત્ર કરે યસ્ય, દુર્જનઃ કિં કરિષ્યતિ
- ત્રિકાળ-દષ્ટિ જગત દિવાકર – પરમતારક – તીર્થપતિઓએ પ્રવર્તાવેલ શ્રી ચતુર્વિધ સંઘ રૂપ તીર્થ, તેમેક્ષ પુરૂષાર્થ માટેનું અનન્ય સાધન છે, તે શ્રી ચતુર્વિધસંધ-નિગ્રંથ સાધુ-સાધી તેમજ વ્રતધારી શ્રાવક-શ્રાવિકા વર્ગનો બનેલો હોય છે.
તેમજ તેમને ઉત્તમ આત્માઓ જાણી તેમને યથાશક્તિ અનુસરનારા તેમજ તેમની સેવા-ભક્તિમાં જોડાયેલા આત્માઓ જેનો તરીકે ઓળખાય છે.
આવા જેને સર્વકાળે-સર્વ ક્ષેત્રે શ્રી સંઘ તેમજ તેના સર્વ અંગે પ્રતિ સેવા પૂજા અને ભક્તિભાવવાળા હોવાથી તેઓને પણ બાહ્ય વ્યવહારમાં શ્રી સંઘનું અંગ ઉપચારે સ્વીકારવામાં આવેલ છે.
આવાં શ્રી સકલ સંઘની સર્વ પ્રકારની સ્વ-પર ઉપકારક પ્રવૃત્તિ માટેની વ્યવસ્થાને શાસન કહેવામાં આવે છે, આવા શ્રી શાસનની સમગ્ર પ્રવૃત્તિ જૈને તેમજ શ્રીસંધ સર્વને એક સરખી રીતે સહાયક અને ઉપકારક હોય છે.
આજના વિષમ કાળમાં કેટલાક બની બેઠેલા દાંભિક ગુરૂઓ અને નેતાઓ એકધર્મ, એકસૂત્રતા, એકજ માર્ગ, એકતા, ઐક્યતા, એજ વિશ્વને ઉપકારક છે. એવું એકાન્ત દૃષ્ટિવાળું અજ્ઞાનમૂલક - તત્ત્વ બાળજીને ભરમાવવા અનેક પ્રકારને પ્રપંચી પ્રચાર કરી રહ્યા છે, તે સાથે જ વળી વિસંવાદીપણે પિતાની સુકવાથી વૃત્તિઓ જેવી કે કદર કોમવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, રાષ્ટ્રવાદ, તેમજ સર્વશ્રેષ્ઠ આત્મીયતાવાદ ને પોષનારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
ઉપર જણાવ્યા મુજબના દાંભિક આત્માઓ, જે કેવળ પોતાના સ્વાર્થેજ એકઠા મળવારૂપ સંઘો, મંડળે, તેમજ જુદા જુદા નામાભિધાનવાળા જુથ, બહુમતી-તસ્વરૂપે જ્યારે જુઠાણા ફેલાવી રહ્યા છે, ત્યારે શ્રી સંઘને (મોક્ષ પુરૂષાથી આત્માઓ) માટે ચેતવણીરૂપ કેટલીક જાણવા જેગ હકીકત અમે નીચે જણાવીએ છીએ.
For Private And Personal Use Only