SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ [૨] શતેવુ જાયતે શૂર, સહસ્ત્રપુ ચ પંડિત કર્મનો ઉદય છે તેમ માનવું તથા તપોવૃદ્ધિ થશે, એમ માની મનને સમભાવમાં રાખવું. અને ગૃહસ્થ આપે તો રાજી થવું નહિ, પરંતુ સંયમપુષ્ટિ થશે એમ માનવું. (૯૪) તલ્થ સે નો કપઈ અદકખુ વઈત્તએ (કલ્પ૦ ૨૫૨) શ્રદ્ધાળુ શ્રાવકને ત્વાં અજાણી (હશે કે નહિ ? એવી અનિશ્ચિત) વસ્તુ માગવી નહિ, અનેક દોષનું કારણ હોવાથી, પરંતુ કારણે કૃપણને ત્યાં માગવામાં વાંધો નહિ. (૫) ગોચરી-પાણી દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુસાવ ઓછા જતા હોય ત્યાં જવાથી ઘણું કર્મોની નિર્જરા થાય. (૯૬) કાયદયાવાનપિ સંયત દુર્લભં કરતિ બોધમ; - આહારે નીહારે જુગુસિતે પિગ્રહણે ચ (૧) ક્રિયાપાત્ર અને દયાળુ સાધુ પણ આહાર અને નીહારમાં ઉપયોગ ન રાખે તથા અયોગ્ય આહાર ગ્રહણ કરે તો બધિબીજને દુર્લભ બનાવે છે, માટે અયોગ્ય આહાર ગ્રહણ ન કરવામાં અને આહાર વાપરવામાં તેમજ સ્પંડિત જવામાં ઘણો જ ઉપયોગ રાખવો જોઈએ. (૭) આટો, પુરી અને મિઠાઈ વિગેરે ૩૦-૨૦ અને ૧૫ દિવસ પહેલાની હોય તો અનુક્રમે કાર્તિક–ફાગણ અને અપાડ ચોમાસામાં લેવાય નહિ, તો બીસ્કીટ આદિ બજરનું મહિનાઓ અને વર્ષો પહેલાનું હોય છે, તો તે કેમ લેવાય ? ન જ લેવાય. (૯૮) કઈ પણ વસ્તુને આગમથી અથવા અનુભવથી નિર્જીવ નો નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુનો ઉપયોગ સંયમીને થાય નહિ, તૈયાર ખડીયાની સહી સચિત્તનો સંભવ હોવાથી અને અચિત્તની ખાત્રી ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ તો પછી વાપરવાનું તો પૂછવું જ શું, બોલપેનમાં પણ વિચારવા જેવું છે. (૯૯) કેવલીની દૃષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અમાયાવી છદ્મસ્થ સાધુને ભૂત અનુસારે વિચાર કરતાં અશુદ્ધની શંકા આવે તો તે વ્યવહારમાં અશુદ્ધ જ ગણાય. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy