SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાધિતસ્યૌષધ પચ્ચું, નિજસ્ય કિમૌષધે [૨] ૯૫ બે વખત ખાવાથી ન ચાલે તો ત્રણ વખત ખાવું, તે પ્રમાણે આગળ જાણવું (૭૧) સવારથી સાંજ સુધી ઢેરની જેમ મોકળે મોઢે ખાવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે, પાણું પણ ઠાંસી ઠાંસીને પીવું નહિ. (ભોજન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિમંદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષ જેમ નુકશાન કરે.) (૭૨) પારણું અને અત્તરવાયણામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવું જોઈએ નહિ તોજ ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરાયણની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જે ખબર પડે તો અનેક દોષો ઉપજે. ખરા તપસ્વીને પારણામાં અને અત્તરાયણમાં આનંદ (તાલાવેલી) ન હોય, તેને મન તો બન્નેમાં વિભાવદશા (પરાધીનતા) હોય, તે બન્નેને વિચાર સરખો પણ પોતાને ન આવે. (૩૩) ત્રણ ટાઈમ ખાવાનો રીવાજ સાધુનો નથી, પરંતુ સાધુને તો છ કારણે ભજન કરવાનું જ્ઞાની પુરૂષોએ ફરમાવ્યું છે. યણે વિયાવચ્ચે ઇરિયઠાએય સંજમઠાએ; તહ પણુવત્તિયાએ છઠ પુણ ધમ્મચિંતાએ (૬૬૨) (૧) સુધા સહન ન થાય ત્યારે (૨) વૈયાવચ્ચ કરવા માટે (૩) ઈર્યાસમિતિનું પાલન કરવા માટે (૪) સંયમનું પાલન કરવા માટે (૫) દ્રવ્યપ્રાણ ટકાવવા માટે (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર કરવા માટે આ છે કારણેમાંથી કેઈપણ કારણે ભોજન કરવું કલ્પ. (પિં. નિ.) (૭૪) આયકે ઉવસ, તિતિખિયા ભંભોરગૃત્તીસુ, પાણિયા તવહેલું, સેરીઓઆણઠાએ (૬૬૬) For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy