SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃષ્ણનીકથા. (૫૭) નૃત્ય કરે છે. પરંતુ કોઈપણ પ્રકારે તેને પરાજય થતું નથી, અને કેઈથી તે ડરતે પણ નથી. માટે આપ કૃપા કરી ક્ષણમાત્ર ત્યાં પધારે અને તે પક્ષીને જુઓ. કુમાર પિતે ત્યાં ગયો અને મારને જેઠ વિચિમત થઈ તે બે , હે મયૂર ! હારે નૃત્ય કરવાનું શું કારણ? મેર બોલ્યા, હે કુમારેંદ્ર ! કૃપા કરી ક્ષણ માત્ર સાવધાન થઈ તું મહારૂં ચરિત્ર સાંભળ. શીલરૂપી અલંકારથી ભ્રષ્ટ થયેલ રાષ્ટ્રકૂટ નામે પૂર્વભવમ હું રાજપુત્ર હતું. એક દિવસ બહુ રૂપવંતી મેરનું ચરિત્ર. નગરશેઠની પુત્રી મહને મળી. હેને લઈ - કેઈક સાર્થવાહની સાથે હું સિંધુ દેશમાં જતે હતે. વળી તે શેઠની પુત્રી ચાલવામાં બહુ ધીમી હતી અને સાર્થવાહના લોકો બહુ ઝડપથી ચાલતા હતા. તેથી અમારે અને સાર્થને ઘણું અંતર પડી ગયું. પછી અમે બન્ને જણ માના શ્રમથી બહુ થાકી ગયા તેથી માર્ગ છોડી એકાંતમાં નિર્ભયપણે અમે મુકામ કર્યો. રાત્રીના પ્રથમ પ્રહર સુધી ક્રીડા કરીને સુઈ રહ્યાં પછી રાત્રીના છેલ્લા પ્રહરે હું જાગી ઉઠે તે હારી સ્ત્રી ત્યાં નહોતી તેથી મહું ચારે બાજુએ તપાસ કર્યો પણ તેના પત્તો લાગ્યું નહીં. પછી મહેં વિચાર કર્યો કે પોતાનાં માબાપને સંભારી કદાચિત તે પાછી વળી હશે પણ તે તેની મ્હોટી ભૂલ ગણાય, કારણ કે માર્ગમાં દુષ્ટ પ્રાણીઓ એને મારી નાખશે. એમ હું વિચાર કરતા હતા તેટલામાં સૂર્યોદય થયે. એટલે તેનાં પગલાં જેતે જેતે હું જાતે હતો તેવામાં બહુ વેગથી દેહેલા વાઘનાં પગલાં મહારા જોવામાં આવ્યાં તે ઉપરથી મહને નિશ્ચય થયે કે, આ નિર્દય વાઘે મહારી સ્ત્રીને મારી નાખી છે. પછી ત્યાંથી હું સાથે પાસે જઈ પહોંચ્યા, સાથોધિપને આ સર્વ વૃત્તાંત જણાવીને મહે કહ્યું કે, જ્યાં સુધી હું મહારી સ્ત્રીની ખબર લઈ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy