SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્યામલની કથા. (૩૭) માટે હે મલયચંદ્ર ! હજુ પણ મોહરૂપી મહા સર્ષના વિષ વેગો હારા દેહમાં બહુ ફુરી રહ્યા છે. તેથી હે ભદ્ર ? તેને ઉતારવા માટે તું યત્ન કરે ત્યારબાદ મલયચંદ્ર બે, હે મુનિંદ્રા? આપની કૃપાથી તે વિષ વેગે પણ સૂર્યના પ્રભાવથી અંધકારની માફક બહુ દૂર ચાલ્યા જશે, કારણ કે મહવિષને ઉતારવામાં પણ આપ બહુ સમર્થ છે. માટે આપ કૃપા કરી હેને ઉપાય બતાવો જેથી હને તે મેહવિષ પીડે નહીં. ગુરૂ બેલ્યા, પ્રથમ સારી રીતે સમ્યકત્વરૂપી મંડલ રચીને શિક્ષાબંધ કરવામાં આવશે. ત્યાર બાદ મુનિ ધર્મરૂપી મહામંત્ર આપવામાં આવશે. પછી તેની વિધિ પુર્વક આરાધના કરવી. જેથી તે હારા સમગ્ર મેહવિષને ઉચછેદ કરશે. એ પ્રમાણે ભવ્ય દેશના આપીને પોતેજ સ્ત્રીઓ સહિત મલયચંદ્રને દીક્ષા આપી. પછી કુલધર અને શ્યામલ વણિકે પણ સમ્યકત્વ સહિત દેશ ચારિત્ર લીધું. બીજા લોકોએ પણ સમ્યકત્વ અને બીજાં વ્રત પણ લીધાં. તેમજ ધનેશશ્રેણીએ પણ અખંડિત દેશવિરતિ લીધી. હવે મલયચંદ્ર મુનિ સહિત ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. ત્યારબાદ કુલધર અને શ્યામલ અને જણ મલયચંદ્ર મુનિની પ્રશંસા કરતા પોતપોતાને ઘેર ગયા. અને વિધિ પ્રમાણે ગ્રહીધર્મ પાળવા લાગ્યા. વળી સામાયિકમાં વિશેષ પ્રયત્ન કરવા લાગ્યા. તેમજ સિદ્ધાંત શ્રવણમાં પણ હમેશાં તત્પર રહે છે. વળી ગીતાર્થ ગુરૂના મુખથી સામાયિકના ગુણે સાંભળ્યા કે જેમ મુનિએ સમભાવમાં રહી સાવદ્ય કાર્યને ત્યાગ કરે છે અને નિરવદ્ય કાર્યને સ્વીકાર કરે છે તેમ શ્રાવક પણ સામાયિકમાં સમ્યક્ પ્રકારે રાગ-દ્વેષને પરિહાર કરવાથી મુનિની માફક કર્મની નિર્ભર કરે છે. અને અ૫ કર્મ બાંધે છે. તેમજ ઈર્ષા સમિતિ વિગેરે ગાવડે યુકત થયે છતે પરિમિત કાલનિર્ગમન કરે છે. ત્યારબાદ તેના અભ્યાસથી ચારિત્ર મહનીય For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy