________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કામરૂપી મમત્ત હસ્તીના ગંડસ્થળ ભેદવામાં સિંહ સમાન, વિશુદ્ધ ગુણરૂપી રને આશ્રય આપવામાં રેહણગિરિ સમાન અને પાંચ પ્રકારના શુદ્ધ આચારના પાલન કરનાર એવા સર્વે આચાર્યોને નમસ્કાર કામરૂપી અગ્નિને શાંત કરનાર, નિરંતર મુનિઓને ઉચિત સ્વાધ્યાય દાન આપવામાં મગ્ન થએલા અને સિદ્ધિરૂપી સ્ત્રીએ હમેશાં ધ્યાન કરાએલા; સમસ્ત ઉપાધ્યાયને પ્રેમ પૂર્વક નમસ્કાર, વળી જેઓએ સર્વ સંગને ત્યાગ કર્યો છે, તેમજ પ્રબળ તપશ્ચર્યાવડે જેઓનાં સર્વ અંગ સુકાઈ ગયાં છે અને બહ પ્રકારના ઉપસર્ગો સહન કરવામાં જેઓને નિશ્ચય ૬૮ હોય છે એવા મુનિને બહુ ભક્તિ પૂર્વક અમે નમસ્કાર કરીએ છીએ. વળી જેઓએ સંસારરૂપી કુવામાં પડેલા સર્વ જગતને ઉદ્ધાર કર્યો છે એવા પરમ પુરૂષોના શરણને આ દાસ જન પ્રાપ્ત થએલે છે. આ પ્રમાણે પરમપદે વિરાજમાન, સર્વ દુ:ખથી વિમુક્ત, નિર્ભય સ્થિતિવાળા અને ત્રણે કાળમાં રહેલા એવા પંચપરમેષ્ઠીઓનું જે સ્તવન કરે છે તે પ્રાણી અતિ દુરસ્તર દુઃખ સાગરને તરી જાય છે. અને તે સ્તોત્રમાં લક્ષ રાખવાથી સાધુ અગર શ્રાવક મોક્ષ સુખને પામે છે.” આ સ્તંત્ર ભણીને મનેરથે ફરીથી કુમારના કાનમાં વિધિ પૂર્વક ઇયાન સહિત
છે ફ્રી પરમેષ્ટિને નમ: એ મંત્રને એકવીશ વાર પાઠ કર્યો. આ મંત્ર શ્રવણના પ્રભાવથી વ્યંતરે ગ્રહણ કરેલે રાજકુમાર બે પરમ દયાળુ એવા હે ધર્મબંધુ ? હાલમાં ન્હ હારે ઉદ્ધાર કર્યો. કારણ કે પંચપરમેષ્ઠીનું તેત્ર સાંભળવાથી મને અવધિ જ્ઞાન થયું છે. જેથી પૂર્વ ભવનું મહને જ્ઞાન થયું છે. તેમજ સૂર્યના તેજથી અંધકારની માફક હારૂં મિથ્યાત્વ દૂર થયું છે. હવે વ્યંતર પોતાના પૂર્વ ભવ કહે છે કે પ્રથમ ભાવમાં શ્રાવક ધર્મને કલંકિત કરી આયુષના અંતમાં પુણયને હું વ્યંતરપણે મહારગની જાતિમાં ઉત્પન્ન થયો છું. વળી તેજ હું વનની અંદર
For Private And Personal Use Only