________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્તાત્રેષિની યા.
(૮૧) લખાવ્યા, ત્યારબાદ તે પોપટની સ્ત્રીએ ફરીથી મુનિ પાસે જઈ વિધિપૂર્વક અનશન વ્રત ગ્રહણ કરી સમાધિગવડે પર્યતામાં પ્રાણ ત્યાગ કર્યો. અને વિશાલબુદ્ધિ મંત્રીની ભાર્યા રતિસુંદરીની કુક્ષિથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ભુવનાનંદા તેનું નામ પાડયું. અનુક્રમે ઉચિત કલાઓને અભ્યાસ કર્યો. થોડા સમયમાં બહુ નિપુણતા મેળવી. એક દિવસે તે ભુવનાનંદા ઉદ્યાનમાં જનમદિરની અંદર પ્રભુનાં દર્શન કરવા ગઈ. ત્યાં પૂર્વોક્ત અક્ષર પંક્તિ વાંચી તેને જાતિસ્મરણ થયું. વૃત્તાંત સહિત પિતાને પોપટ ભવ સ્મરણોચર થ. તેણુએ જાણ્યું કે આ જીનેશ્વર ભગવાનના પ્રભાવથી હું મંત્રીને ત્યાં જન્મી છું. તેથી તે જીતેંદ્રની પૂજા ભક્તિમાં હમેશાં તત્પર થઈ, મંત્રીને ઘેર એક મુખ્ય અશ્વ હતું. જેનાથી રાજાની ઘડી.
એને ઘણા અશ્વ થયા. તે દરેક ઘોડાઓને ભુવનાનંદાની રાજા પિતાને ઘેર મંગાવી લેતે હતે. તે બુદ્ધિ. વાત ભુવનાનંદાના જાણવામાં આવી એટલે
તેણીએ રાજાને જણાવ્યું કે, આ સર્વ ઘોડાઓ મહારા પિતાના અશ્વથી ઉત્પન્ન થયા છે માટે આ અશ્વ
હારા પિતાના છે. એમાં તહારે કેઈપણ પ્રકારનો હક્ક નથી. કારણકે પ્રથમ પોપટ અને તેની સ્ત્રીને પુત્ર સંબંધી વિવાદ થર્યો, ત્યારે વહિકાખંડમાં તમેએ લખાવ્યું છે કે બીજ પિતાનું હોય છે. તે સાંભળી રાજા એકદમ વિમિત થઈ ગયું અને વહિક વંચાવી જોયું તો તેજ પ્રમાણે લેખ નીકળે. રાજાએ જાયું કે આ બાળ પંડિતા છે. જેથી મંત્રીની પાસે માગણી કરી તેની સાથે પોતે પડ્યો. ત્યારબાદ તેની બુદ્ધિની
For Private And Personal Use Only