________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારાના ત્યાગ કરી સત્પ્રવૃત્તિને સ્વીકારે એથી અધીક આ દુનીયામાં ક્યા ઉપકાર પ્રશંસનીય છે ? તેમજ વાંચન કે શ્રવણુ દ્વારા કયા રસમાં લુખ્ખ થયેલા માનવવને ઉત્તમ અધિકારી બનાવી નિવૃત્તિ અને પ્રવૃત્તિ માની ઓળખાણ કરાવે. વળી આપત્કાલમાં કે પરાધીન સ્થિતિમાં જ સત્પ્રવૃત્તિનું આચરણ કરે તેવા સ્વભાવવાળા અર્ધદગ્ધજીવાને ઉત્તમ પુરૂષોના સુખમય ચરિત્રાનાં દ્રષ્ટાંત આપી તેના મેાહથી તેવીપ્રવૃત્તિઓના જેએ પણ લાભ લઈ શકે તેમજ કાર્યાંતરથી મુક્ત થયેલા કેટલાક મનુષ્યા અવકાશ વખતે નિરર્થીક અથડાઇને પેાતાનું અમૂલ્ય જીવન વૃથા ગુમાવે છે. તેમ ન કરતાં મન, વચન અને શરીરને અમુક ટાઇમ સુધી નિયમિત કરવાના સુગમ ઉપાય છે. વળી આવા સત્કચાનુયાગા સદુપદેશ આપી જે ઉપકાર કરે છે, તેવા માતા, પિતા, પ્રિયમિત્ર, હિતકારી મહાત્મા કે સદ્દગુરૂ પણ કરી શક્તા નથી. કારણ કે તે તે પોતાની હયાતિમાં કરી શકે છે. આ કારણને લીધે પૂર્વાચાર્યોએ પોતાના અમૂલ્ય સમયની સાકતા આવા પરોપકારી કાર્યોમાં જ માનેલી છે. આ ચરિત્ર ઉપરથી તેમની પાપકૃતિ સત્ર જાગ્રત્ અવસ્થાને સદૈવ અનુભવે છે. વળી આ ચારિત્રમાંથી વાંચક વર્ગને પેાતાનું ચરિત્ર સુધારવા માટે અનુકરણ કરવા લાયક અનેક ઉપમાના મળી શકે તેમ છે. ગુણાનુરાગી, સત્યશેાધક અને વિવેકવત જીવાત્મા આ ગ્રંયના અધિકારી છે અને તેમનેજ અનુકરણીય છે તેમજ જાણવા લાયક ઘણા અ મળી શકે તેમ છે.
વળી દ્વિતીય રસથી ભરપુર શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પ્રાકૃત ગાથામય છે. જેની વ્યાખ્યાન પદ્ધતિ બહુ વિશાલ અને ભિન્ન ભિન્ન દ્રષ્ટાંતાથી રચવામાં આવી છે, વળી આ ગ્રંથમાં જગતપૂજ્ય સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર મુખ્યતાએ વર્ષોંન કરવામાં આવ્યુ છે. તે આ ગ્રંથના નામ ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. તેમજ આ ગ્રંથમાં શ્રાવક જનાને પાળવા લાયક સમ્યકત્વમૂલક બારવ્રતા વિસ્તાર પૂર્ણાંક પ્રરૂપેલાં છે. દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચાર–દોષની નિરૂપણા પૂર્ણાંક પૃથક પૃથક અધિકાર બતાવ્યા છે. તેમજ નિરતિચાર ત્રત પાળવામાં શુભ કૂલની પ્રાપ્તિ અને અતિચારનું સેવન કરવાથી અનિષ્ટ કુલ ભોગવવાં
For Private And Personal Use Only