SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર શું કરવું ? દેવગ બલવાન છે? એમ રાજા વિચાર કરતે હતે તેટલામાં જ્યાં તે બેઠા હતા ત્યાં જલપ્રવાહ આવી પહોંચ્યો, એટલે તત્કાલ ત્યાંથી ઉઠી રાજા, મંત્રી અને બટુક એ ત્રણે જણા તેના સાતમા માળે ચઢી ગયા. નગરના લેકે બહુ પિકાર કરતા વિલાપ કરવા લાગ્યા. હા? વત્સ? તું તારે પ્રાણ લઈ બહુ ઉંચા દેવમંદિર ઉપર ચઢી જા, હારી વાટ જોઈશ નહીં. કારણકે પ્રલયકાલના સમુદ્રની માફક આ જલ પ્રવાહ ભારે ઉછળી રહ્યો છે. વળી કેઈક સ્ત્રી બોલી કે હે પુત્ર! જીતેંદ્ર ભગવાનનું સ્મરણ કરી નવકારમંત્ર ગણુ. તેમજ સાકાર અનશન ગ્રહણ કરી આહારને ત્યાગ કર. એ પ્રમાણે દયાજનક લેકેના વિલાપ સાંભળી રાજા બહુ દુ:ખી થયો, તેટલામાં અનિવાર્ય તે જલપ્રવાહ સાતમે માળે જઈ પહ ચા. તે જોઈ રાજાનું ધૈર્ય છુટી ગયું. અને મંત્રી તરફ દષ્ટિ કરી પિતાની વ્યાકુલતા જણાવીને બોલ્યો, મંત્રિન? હવે જરૂર આ મરણકાલ નજીક આવ્યા. આપણે એટલું પણ પુણ્યધર્મ નથી કર્યું કે જેથી આપણે ઉદ્ધાર થાય. હવે આયુષ વધે તેમ લાગતું નથી. માટે આ વિપત્તિ જોઈ મ્હારૂં હદય પ્રાસાદના શિખર ઉપર રહેલા વજની માફક કંપે છે. વળી વિષયમાં આસક્ત થઈ મહે આટલો સમય વૃથા ગુમાવ્યું. કારણ કે શ્રાવક કુલમાં જન્મ થયે. પરંતુ જીદ્ર ધર્મની આરાધનાથી વિમુખ રહ્યો, અને અસાર એવા આ સંસારના કાર્યોમાં નિરંતર રકત થઈ જન્મ નિરર્થક કર્યો. હવે મરણ સમય નજીક આવ્યા, તેથી શું કરી શકીશ. હા? હા! હું હવે જીવતો છતે મરે છું, કેમકે મેં મારે મનુષ્ય ભવનિષ્ફલ વ્યતીત કર્યો. વળી નિર્બલ હૃદયને લીધે પૂર્વ પુરૂષએ આચરેલી ધર્મ મર્યાદાને મહું ભંગ કર્યો. તેમજ સાવદ્ય સજ્યકાર્યોમાં હે બહુ અનાર્ય પણું આચર્યું અને વિશ્વમાં લુબ્ધ થઈ ધર્મકાર્યથી હું વિમુખ રહ્યા. કેડી માટે કેટીન, કાચ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy