________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૧૯)
भीमकुमारनी कथा.
પાંખડી સંસ્તવાતિચાર. દાનવીર્ય રાજા નમ્ર થઈ છે, ભગવાન ! પાંખડી
એનો પરિચય કરવાથી કેટલું નુકશાન પાંખડી થાય છે તે સંબંધી આપ દષ્ટાંત સહિત પરિચય, ઉપદેશ આપો. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા
રાજન્ ! પાંખડીઓની દેશના તેમજ તે. એના કથિત માર્ગે ચાલનાર મનુષ્યને સમાગમ ભીમકુમારની માફક બહુ દુઃખદાયક થાય છે. તદ્યથા–કપિશીર્ષક (કાંગરાઓ) રૂપી બહુ પત્રેવડે યુક્ત, જેન મંદિર રૂપી પરાગવડે વિભૂષિત, ગુણીજના વિશેષ ગુણરૂપી સુગંધવડે મનેહર અને પૃથ્વીરૂપી સરેવરને અલંકારભૂત, કમળ સમાન કમલપુર નામે નગર છે. તેમાં વેરીરૂપ હસ્તિઓના સમૂહને વિચારવામાં સિંહસમાન જગબ્રિખ્યાત મહા પરાક્રમી હરિવાહના નામે રાજા હતા. દ્વિતીયાના ચંદ્ર સમાન નિષ્કલંક છે શરીરરૂપી લતા જેની અને શ્રેષ્ઠ ગુણ (દરો–દયાદિ ગુણ) વડે વિભૂષિત માલતી પુષ્પોની માલાની માફક માલતી નામે તેની સ્ત્રી હતી. પૂર્વ દિશા જેમ સૂર્ય બિંબને પ્રગટ કરે છે તેમ માલતી રાણીએ ઉત્તમ સ્વપ્નથી સૂચિત શ્રેષ્ઠ લક્ષણ સહિત, મહા પ્રતાપી અને સુંદર કાંતિના ખજાના રૂપસપુત્રને જન્મ આપે. અનુક્રમે બાર દિવસ થયા એટલે માતા પિતાએ સર્વ જનેને સત્કાર કરી મહોત્સવ પૂર્વક પ્રાચીન પુરૂના ક્રમ પ્રમાણે ભીમકુમાર એવું તેનું નામ પાડયું.
અનુક્રમે ભીમકુમાર દેહ અને કાંતિ સાથે સમસ્ત કળા
For Private And Personal Use Only