SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકરજન્મ પ્રસ્તાવ. (૬૭) ત્રિલોકવાસી સમસ્ત પ્રાણુઓ પ્રણામ કરે છે આપ અક્ષય સુખના કારણ છે તેમજ મદનરૂપી હરણને સંહારવામાં તરૂણ સિંહ સમાન, મુનિવરેના માનસરૂપી સરોવરમાં હંસ સમાન, અને ત્રણે લોકમાં પૂજનીય પણ આપજ છે. હે જગત્રભે ? આપના હસ્તપાદનાં તળીયાં લક્ષ્મીના વિલાસભૂત વિકસ્વર કમલ સમાન શોભે છે. હિમરાશિ તેમજ ચંદ્રના કિરણ સમાન ઉજવલ આપના અમાપ યશથી આ મહીતલ સ્વચ્છ દીપે છે. સરલ અને શુદ્ધ દ્રષ્ટિ પ્રસારથી વિકસ્વર કમલ પત્રની આપ તુલના કરો છો. વળી સંસારના ભયથી તપ્ત થયેલા ભવ્ય લોકોના હૃદયને શાંત કરવામાં નવીન મેઘ સમાન, અંધકારને નિમૂલ કરવામાં સૂર્ય સમાન, શરણાગત જનને મજબુત વજી પંજર સમાન, મેહરૂપી મદોન્મત હસ્તિના કુંભસ્થલ વિદારવામાં કેસરી સમાન, સમસ્ત વસ્તુતત્તર ના પ્રદાયક, કુમત–પાખંડમતના ઉચછેદ કરવાવાળા અને ત્રણ ભુવનમાં ઉદ્યોત કારક એવા હે નંદ્ર! આપ સદાકાલ જયવંત વર્તો. હે જગત્મ ! આજે આ ભરતક્ષેત્ર પવિત્ર થયું, કારણ કે જે ભરતક્ષેત્રમાં આપ પ્રગટ થયા. વળી જેના ઉદરમાં આપ ઉત્પન્ન થયા તે માતાને જન્મ પણ સ્વતઃ કૃતાર્થ થયે. જેના ઘરમાં ચિ તામણિ સમાન આપજીને પ્રગટ થયા તે સુપ્રતિષ્ઠ નરેંદ્રનું નામ પણ આજે યથાર્થ થયું. એ પ્રમાણે જીનેશ્વરની સ્તુતિ કરી પિતપોતાના પરિવાર સહિત સર્વ ઇંદ્ર નંદીશ્વરદ્વીપમાં ગયા, અને નમનપૂર્વક જીનેશ્વરની સ્તુતિ કરી પિતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ સધર્મ સ્વામી પણ શુદ્ધ કાંચન સમાન આકૃતિને ધારણ કરતા જીનેશ્વરને કરસંપુટમાં ગ્રહણ કરી બહુ પ્રદપૂર્વક જીતેંદ્રના જન્મગૃહમાં ગયા, ત્યાં વિકલું જીરેંદ્રનું પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રાની નિવૃત્તિ કરી પૃથ્વી દેવીની પાસે પુત્રરત્નને પૂર્વની માફક સ્થાપના કરીને નમસ્કાર કર્યો. ત્યારબાદ બે ઉત્તમ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy