________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંચકો સ્વયમેવ જાણી શકે તેમ છે. આ ગ્રંથને પ્રાદુર્ભાવ વિક્રમ સંવત બારસોમાં થયો હોય તેમ લાગે છે. કારણ કે તેના નિર્માતા શ્રીમાન લક્ષ્મગણિ તે અરસામાં પવિત્ર પાદન્યાસવર્ડ ભૂમંડલને પવિત્ર કરતા છતાં ભવ્ય પ્રાણિઓને ઉપદેશ આપતા હતા. તેમજ ગ્રંથની સમાપ્તિમાં ગ્રંથ પ્રશસ્તિમાં પણ તે સમય પોતેજ દર્શાવેલ છે. વળી ગ્રંથકર્તા પોતે ઘણા ભાગે ગુર્જર દેશમાં વિહાર કરતા હતા તે બાબત પણ પ્રસ્તુત ગ્રંથ પ્રશસ્તિ ઉપરથી જ સ્પષ્ટ થાય છે. આ ગ્રંથને પ્રારંભ ધંધુકામાં અને સમાપ્તિ માંડલમાં વિક્રમ સંવત ૧૧૯૯ માં થયેલી છે. તે સમયે જૈનધર્મ પ્રભાવક શ્રી કુમારપાલ નરેંદ્ર વિદ્યમાન હતા તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગુર્જરભૂમિમાં વિશેષતાઓ વિહાર કરતા હતા. ગ્રંથકર્તાને ગચ્છ તથા ગુરૂ પરંપરાનો સંબંધ સવિસ્તાર ગ્રંથકર્તાએ પ્રશસ્તિમાં દર્શાવ્યો છે તે અહીં વૃક્ષાકૃતિનું સ્વરૂપ આપી બતાવ્યું છે. હર્ષપુર ગામે ગ૭ધારી શ્રીમાન જયસિંહસૂરિ મહારાજ પ્રથમ પાટે વિરાજતા હતા. જેમકે
જયસિંહરિ. અભયદેવસૂરિ. હેમચંદ્રસૂરિ.
વિજયસિંહરિ, શ્રી ચંદ્રસૂરિ વિબુધચંદ્રસૂરિ, લક્ષ્મણગણિ
અહીંયા સંક્ષેપથી આ પ્રમાણે આ ગુરૂ પરંપરા બતાવી છે. તેમાં પણ વિશેષ કરીને અભયદેવસૂરિ તથા હેમચંદ્રસૂરિને ગુણાનુવાદ પ્રસ્તુત ગ્રંથકારના સહચારી શ્રી ચંદ્રસૂરિએ પિતે રચેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરિત્ર પ્રશસ્તિમાં કંઈક વિસ્તાર પૂર્વક પ્રિતિપાદન કર્યો છે. તેમજ
तस्स अपच्छिम तित्थाहिवस्स, तित्थे पयट्टमाणम्मि। રિપઢવાનુણે, છે રિસર વરતવ ( રતાશ ) નિ | ૨ सिरिजयसिंहोसूरि, सयंभरीमांडलंमि सुपसिद्धो। पंचविहायारसमायरणरओ, गुणनिधीजामो ॥ ७३ ॥
For Private And Personal Use Only