________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સિવાય નીચેના ચમત્કારી બનાવો બન્યા હતા. એક વખતે શ્રીપઘાપ્રભુના દેરાસરજીમાં દર્શનાર્થે રવિસાગરજી મહારાજ પધાર્યા. ત્યાં ભગવાનની મુખમુદ્રા નિહાલી આ કૃપાવંત મહાત્માશ્રીએ પિતાના જ્ઞાન અને બુદ્ધિબળના તેજથી કહ્યું કે અહીં અશુચિ છે. એમ કહીને દર્શન કરી ઉપાશ્રય ગયા. શ્રાવકોએ દેરાસરમાં તપાસ કરી પણ અશુચિ લાગી નહિ. છેવટે શિખરનું કામ રીપેર થતું હતું ત્યાં આગળ શિખર ભાગ આગળ જઈ તપાસ કીધી તે એક બાઈરજસ્વલા આવી હતી. આ બાઈ જ્ઞાતે રબારણ હતી. અને મજુર તરીકે કામ કરતી હતી, રજસ્વલાનું તેને ભાન હોવાથી તેને ઉપવેગ આપી દેરાસરમાંથી દૂર કરી દેરાસરની શુદ્ધિ દૂધ વગેથી કરવામાં આવી.
એક વખતે સાણંદના રહીશ મેતા હઠીસંગ જેમલદાસ કાળને વખત આવી લાગવાથી દેશાવરમાં અનાજ ખરીદ કરવા માટે જતા હતા. તેઓ મહારાજશ્રીના દર્શન માટે મેસાણે ઉતર્યા. ને રાત્રે તેમણે મહારાજશ્રીને જવા માટે હકીકત કીધી મહારાજશ્રીએ કહ્યું કે રાત અહીં રહે સવારે સહુ સારું થશે. આમ કેવાથી રાત્રે તેઓ રોકાયા. રાત્રે એક અચાનક વરસાદ થવાથી તે માણસ ખરીદ કરવા ન જતાં પાછા આવ્યા.
www.kobatirth.org
For Private And Personal Use Only