________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્ય
રૈના નાશ કરાવ્યા હતા. અમદાવાદ વગેરે સ્થળામાં શ્રાવકાના ઘેર ડાઇઓ રાખવાના તેમણે ઉપદેશ દીધા હતા. હાલ પણ અમદાવાદમાં શેઠીઆઓને ત્યાં ડા ભરાવેલી દેખવામાં આવે છે. તેમણે વિજાપુર, પેથાપુર, માણસા, અમદાવાદ, સાણંદ, ગેાધાવી, વિરમગામ, રામપુર, માંડલ, ભાવનગર, પાલીતાણા, ઘેધા, મેસાણા, પાટણ, પાલણપુર, રાધનપુર, પ્રાંતિજ, ઈડર, વડાલી અને વડનગર વગેરે ઠેકાણે વિહાર માસકલ્પ તથા ચાતુર્માંસ કર્યાં હતા.
શ્રી નેમિસાગરજી મહારાજના શિષ્ય શ્રી રવિસાગરજી, ધર્મસાગરજી કપૂરસાગરજી, ગેાતમસાગરજી અને વિવેકસાગરજી વગેરે થયા. સર્વે શિષ્યોમાં આવ પટ્ટધર શ્રીમદ્ મુનિરાજ રવિસાગરજી હતા.
શ્રીમદ નૈમિસાગરજી મહારાજની સાધ્વીએ શ્રી જયશ્રી વગેરે હતી. શ્રી જયશ્રી સાધ્વીએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળ્યું હતું. વિજાપુરમાં રાત્રીએ જયશ્રી સાધ્વીને સર્પ સ્યા પરંતુ તે શ્રી નવકારના સ્મરણ ધ્યાનમાં એકાગ્રચિત્તવાળાં થયાં તેથી સર્પનું વિશ્વ ઉતરી ગયું. ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં સાધ્વીશ્રી જયશ્રી ઉત્તમ હતી.
શ્રી નેમિસાગરજી મહારાજના રાગી પરમ શ્રાવકે શે દલપતભાઈ ભગુભાઈ, સુરજમલ શેઠ વગેરે અમદાવાદના
www.kobatirth.org
For Private And Personal Use Only