________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અને ઉત્કૃષ્ટ ક્રિયાવંત હતા. શિથિલાચારી શ્રી પૂની આજ્ઞા તેઓ માનતા નહતા અને તેઓશ્રી શ્રી પૂને વંદના કરતા નહતા. તેમના સાધુ માર્ગના ખરા ઉપદેશથી તથા સાધુપણુના ખરા આચારથી તેમણે ગુજરાતના જૈનેની આંખે ઉધાડી અને શુદ્ધ સંયમધારી સાધુઓના રાગી બનાવ્યા તેથી ગુજરાતમાં યતિનું જોર હઠવા લાગ્યું. શ્રી નેમિસાગરજી મહારાજને શ્રી પૂજ્ય અને ગોરજીઓએ તથા અન્યએ સતાવવા બાકી રાખ્યું ન હતું. શ્રી નેમસાગરજી મહારાજને નગુરા કહીને શિથીલાચારીઓ નિંદતા હતા, અને તેમનું અપમાન કરતા હતા તે પણ તેઓશ્રી તે અપમાનાદિકને હિસાબમાં ગણતા ન હતા. તેમના સત્ય વિચાર અને શુદ્ધાચારની જૈનકોમ પર એટલી બધી અસર થઈ કે જેથી પાછળથી યુતિ વગેરેનું જોર હઠયું અને અમદાવાદ વગેરે ગુજરાતના શહેરમાં સંવેગી સાધુઓનું જોર વધ્યું. તેઓ સત્યાગ્રહી બની પિત પિતાનું કાર્ય બજાવતા હતા. તેઓશ્રી ઈંટનું ઓશીકું રાખતા હતા અને શ્રાવકના ઘેરથી પિતે તથા પોતાના સાધુઓ ભલી પાટ વગેરે સામાન જાતે ઉપાડી લાવતા હતા. પેથાપુરમાં ભાવસારના ત્યાંથી ચોમાસા માટે પાટે લાવતા હતા. મુખે મુહપતી રાખીને બોલવાના ઉપયોગમાં તેઓ એક્કા હતા. ગુજરાતમાં મેટા ભાગે તેમણે બેળો, અથાણાં, હેકા વગે
www.kobatirth.org
For Private And Personal Use Only