________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ ભાવના ઉલ્લાસથી આચાર ઉત્તમ થાય છે, સંસ્કાર ઉત્તમ સંપજે એ ચિત્તમાં પરખાય છે; મન વાણી તનુને ફેરવી જીવન સમર્પે અભિનવું, શુભ ભાવનાનું બળ ધણું મુખથી અરે શું સંસ્તવું. ૨૫ આમૈન્નતિનું મૂલ જગમાં ભાવના શુભ જાણવી, સાપેક્ષ ષ્ટિ ધારીને મનમાં સદા એ આણુવી; એકવાર જો શુભ ભાવના પ્રગટે હૃદયમાં તે પછી, નક્કી હૃદયમાં જાશે પરમાત્મતા અંશે વસી. ૨૯ જે ભાવના ઉંચી થતી તે ઉચ્ચજીવન મંત્ર છે, ઉચ્ચ દરજ્જો પામવા શુભ ભાવનાનુ યંત્ર છે; જ્યાં ઉચ્ચ થાતી ભાવના ત્યાં ઉચ્ચતા વ્યવહારમાં, અંતે ખરી દેખાય દષ્ટાંતા જીવે સંસારમાં.
૨૯'૭
મૂઢા કરે હાંસી તથાપિ ઉચ્ચભાવ ન છંડશેા, રાખી હૃદયમાં ભાવના શુભ કાર્યમાંહી મંડશે; શુભ ભાવનામાં અંશથી ઈશ્વરપણું ઘટ વિલસતું, શુભભાવમાં મસ્તાન તેનુ ચિત્ત ધર્મ ઉલસતું. ૨૯૮
શુભભાવમાં આરૂઢ થાવા યત્ન કાટી આદરી, પ્રગટે પૂરી જે ભાવના તે શીઘ્ર મનથી પરિહરા;
www.kobatirth.org
For Private And Personal Use Only