________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
ઔદાર્ય એવું ચિત્તમાં ઉપદેશમાં આચારમાં, હું શિખવ્યું નિશ્ચય અને આ જગના વ્યવહારમાં ઔદાર્ય દષ્ટિ ધારતા તે સશુરૂ ગુણને વહે, ઔદાર્ય દષ્ટિવંત જન આ વિશ્વમાં સુખડાં લહે. ૧૧૩ આગમથકી અવિરોધરૂપે જે વિચારે થાય છે, જ્યાં દેશ કેમ ને ધર્મની શુભ ઉન્નતિ પ્રકટાય છે,
જ્યાં જ્ઞાન ને આચારની છે ઉન્નતિ આ કાલમાં, વિસ્તીર્ણદષ્ટિ તે ભણે ના ભૂલશે જાલમાં. ૧૧૪ નીતિ વધે રીતિ વધે સ્વાતંત્ર્ય પરમાર્થે વધે, પરતંત્રતા સાપેક્ષથી રહેતી ભલું સાધન સધે; ઔદાર્યદષ્ટિ તે ખરી જ્યાં સત્યતા પિોષાય છે, જ્યાં નાશ થાતે ધર્મને ઔદાર્ય તે ન ગણાય છે. ૧૧૫ જ્યાં દીર્ઘ દષ્ટિ હોય છે, ઔદાર્ય ત્યાં વધતું રહે, વ્યવહાર અને પરમાર્થની ત્યાં ઉન્નતિ વેગે વહે; ઓદાર્ય દષ્ટિ ખીલવવા શક્તિ સદા નિજ વાપરે, ઔદાર્યદષ્ટિ સેવીને સહુ વિશ્વનું શ્રેયસ્કર. ૧૧૯ પાસાં તમારાં વેઠીને દાર્ય મેં એ મન ધર્યું,
www.kobatirth.org
For Private And Personal Use Only