________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રામાણ્ય જીવન તારું શુભભાવથી શોભી રહ્યું, શ્રીસરે ! તવસંગતે પ્રમાયને ભાવે કહ્યું. ૫૩ પરમાર્થના પન્થ વધે તું ફર્જ નિજ માની સદા, પરમાર્થ કરણી ફર્જ છે, નિજ માન્યતા માની મુદા; પરમાર્થમાં નિજ સ્વાર્થને માની સદા શેભી રહે, કર્તવ્યની કરણી કરી અધિકારથી શભા લો. ૫૪ પરમાર્થ કરવા ભીતિને મનમાં જરી ધારી નહીં, પરમાર્થ સેવા એ ભલી નિર્વેષતા ભી રહી, પરમાર્થ સેવા એ ભલી જ્યાં ખેદ ના સ્વને થતું, પરમાર્થ સેવા પન્થમાં તે કર્મયોગી છે છતે. પપ પરમાર્થ જીવન જીવવું એ વિશ્વમાં આવ્યું ભલું, પરમાર્થ વણ રાક્ષસ સમી એ જીદગી જાણે ખલુ પરમાર્થ કરણથી સદા સાધુ પુરૂષે શોભતા, પરમાર્થના જે સેવકે તે દુર્ગતિને ભતા. ૧૬ પરમાર્થ વણ અધિકાર સત્તાથી થયું શું માનવું, પરમાર્થ વણ નૃપતિ થતાં ના ઉચ્ચ જીવન જાણવું પરમાર્થની કરણવિના આવેળફૂલ સમ માનવી, પરમાર્થની સેવા ભલી એ નિત્ય ચિત્ત આણવી. પ૭
www.kobatirth.org
For Private And Personal Use Only