________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
પ્રાપ્ત કરે છે જેથી ભળભળીયાપણું ટળી જશે અને તેથી આત્મામાં ઘણું ગુણે પ્રગટી શકશે.
સાધુઓ! પરસ્પર સંપીને વર્તવું. જો તમે મેટું મન રાખીને સંપીને વર્તશે તે સ્વાત્માનું તથા પરનું હિત થશે તેમજ જૈન શાસનની શોભામાં વૃદ્ધિ થશે. સંપથી ઇર્ષ્યાદિ દોષોને નાશ થાય છે. જેનામાં સંપ છે તે સ્વાસ્તિત્વને પૃથ્વી પટપર દીર્ધકાળ પર્યન્ત ધારી શકે છે. જે સાધુઓ પરસ્પર ગુણાનુરાગ દષ્ટિ ધારણ કરે છે, તે પિતાના ગુરૂનું નામ શોભાવી શકે છે. જ્યાં ફુટ છે ત્યાં કદી ચડતી થતી નથી. તમે સંપીને રહેશે તે ગચ્છની અને જૈન શાસનની શેભા વૃદ્ધિ કરી શકશે એમ નિશ્ચયતઃ અવધશે. સંપ હેય છે ત્યાં પરસ્પરની નિન્દા, ઈર્ષ્યા, અને કુસંપ વગેરે દોષ રહેતા નથી. લધુતા વિના કદાપિ પ્રભુતા પ્રાપ્ત થતી નથી. લઘુતાથી સંપમાં વૃદ્ધિ થાય છે. ગૃહમાં સંપ હોય છે તે તેઓ સામાજિક બળથી અનેકધા કાર્ય કરી શકે છે. જ્યારે ગૃહસ્થ સંપ કરીને વર્તે છે તે શ્રી વીર પ્રભુના સેવક એવા સાધુઓએ જૈન શાસનની દાઝથી માન, સ્વાર્થ, કદાગૃહ, વૈર અને ફાટફુટને ત્યાગ કરીને પરસ્પર સંપીને ચારિત્ર પાળવાપૂર્વક જૈન શાસનને ઉદય થાય એવાં કાર્યો કરવા ઉદ્યમી થવું જ જોઈએ. સાધુઓએ યાદ રાખવું કે જ્યાં સુધી તમે
www.kobatirth.org
For Private And Personal Use Only