________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫ દર્શન ચારિત્રની આરાધનામાં તેઓએ વિલાસની વૃદ્ધિ પૂર્વક પ્રવૃત્તિ કરી. ગુરૂશ્રી વૃદ્ધાવસ્થામાં આત્માના શુદ્ધ સ્વભાવમાં વિશેષતઃ રમણતા કરવા લાગ્યા. ગુરૂશ્રીના આ ભામાં અલોકિકરીયા ગુણની ખીલવણું થવા લાગી. વૈરાગ્ય, ત્યાગ, સરલતા, માદેવતા, નિર્લોભતા અને નિઃસંગતાદિ ગુણેનો વિશેષતઃ આવિર્ભાવ થવા લાગે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ માણસામાં ઉપાસકદશાંગસૂત્ર અને ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચીને અનેક ભવ્ય મનુભ્યોને ધર્મની આરાધનામાં ચુસ્ત બનાવ્યા. મેહસાણુમાં ગુરૂશ્રીએ સમાધિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું ત્યાંથી તેઓશ્રી ગામે ગામ વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા. મુનિશ્રી બુદ્ધિસાગરજી પણ ચોમાસું પૂર્ણ થતાં. રીદરેલ, બીલોદ્રા, ડાભલા, મેહસાણ, લીંચ, ભોયણી, અમદાવાદ, સાણંદ, ગેધાવી, બારેજા, માતર, વસો, કાવીઠા, બોરસદ, આંકલાઈ, ઉમેઠા વગેરે સ્થળે ઉપદેશ દેતા દેતા સં. ૧૮૬૫ ના ફાગણમાસમાં પાદરામાં પધાર્યા. પાદરામાં પાલીતાણુના એક શ્રાવકને દીક્ષા આપી અમૃતસાગરના શિષ્ય તરીકે સ્થાપન કરી વૃદ્ધિસાગર નામ સ્થાપ્યું. પાદરાથી વડેદરામાં મામાની પિળે ઉતર્યા. ત્યાંથી ડભોઈ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના પાદુકાનાં દર્શન કરવા વિહાર કર્યો. ડભોઈમાં સંઘને વ્યાખ્યાન વગેરેથી પ્રતિ
www.kobatirth.org
For Private And Personal Use Only