________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
સુખ પ્રાપ્ત કરવાનું હોય છે. ક્ષણિક સાંસારિક સુખની પાછળ દુઃખ રહ્યું છે. ભોગોથી રંગને ભય પાછળ રહે છે. સર્વ ધર્મશાને મુખ્યદેશ સુખ પ્રાપ્ત કરાવવાનું છે. બાહ્ય પદાઓંન ભોગથી ખરેખરું સુખ નથી એ જ્યારે જીવને અનુભવ થાય છે ત્યારે તે સત્ય સુખ શોધવા પ્રયત્ન કરે છે. રાગાદિ કષાયોથી સત્યસુખ પ્રાપ્ત થઈ શક્યું નથી એ જ્યારે સત્યજ્ઞાન પ્રાપ્ત થતાં અનુભવ આવે છે ત્યારે આત્મા જે ઉપાયોએ રાગાદિ ક્ષીણ થાય એવા ઉપાયે આચરવા પ્રયત્ન કરે છે. રાગદેષને ક્ષય કરીને આત્માનું સત્ય સુખ પ્રકટાવવા માટે ચારિત્ર સમાન અન્ય કે મહાન ઉપાય નથી. શ્રી વિરપ્રભુએ ચારિત્ર અંગીકાર કરી આભાનું સત્યસુખ પ્રગટાવ્યું હતું.. સાંકળચંદને આત્માનું સત્યસુખ પ્રાપ્ત કરવા માટે ચારિત્રની રૂચિ ઉત્પન્ન થઈ. જેના મનમાં ચારિત્ર ગ્રહવાની ઇચ્છા થાય છે તે આત્માને ધન્ય છે. સાંકળચંદની પ્રતિદિન ચારિત્ર લેવાની ઇચ્છા અત્યંત દઢ થવા લાગી. ચારિત્ર લેવા માટે તેમણે અનેક અભિગ્રહ ધારણ કર્યા. પિતાના કુટુંબીઓને ચારિત્ર લેવાની ઈચ્છા જાહેર કરી. ચારિત્ર પિતાનાથી બરાબર મળશે કે કેમ? તેની તુલના તેમણે સ્વશક્તિથી કરી. આત્મોદ્ધાર કર્યા વિના કદાપિ સર્વ દુઃખને અંત આવવાને નથી એમ તેમણે દઢ નિશ્ચય કર્યો. તેમના સગાઓએ તેમને સંસારમાં રાખવા
www.kobatirth.org
For Private And Personal Use Only