SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા હતા. ગુરૂનું વ્યાખ્યાન શ્રવણ કરવા અત્યંત પ્રેમથી જતા હતા. સંધ્યાનું પ્રાયઃ વડાવશ્યક કર્મ કરવામાં સતત પ્રવૃત્તિ સેવતા હતા. નવરાશના સમયમાં ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજ પાસે બપોરે જતા હતા અને આત્માનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ સેવતા હતા. ગુરૂનાં પાસાં સેવવાથી તેમના હૃદયમાં વૈરાગ્યના સંસ્કારે દૃઢ થયા. સંસારમાં વ્યાપારાદિ પ્રવૃત્તિ કરતાં છતાં પણ તેમનું ચિત્ત તે અન્તથી ન્યારું રહેતું હતું. તામિ મહારે નથિ મુદ્દે वाहिवेयणा पउरे, जाणतो इह जीवो-नकुणइ લિવિયં ધર્મ ! ઈત્યાદિ વૈરાગ્ય શતકની ગાથાઓનું સ્મરણ કરીને તેઓ વાસ્તવિકવેરાગ્યરંગે રંગિત થયા. માતપિતાના આગ્રહથી તેઓ પરદેશમાં વ્યાપાર કરવા માટે ગયા. તેઓએ ભરૂચ ગમન કર્યું અને ત્યાં કેટલાક સમય રહ્યા તે સમયમાં તેમને શેઠ અનુપચંદ મલકચંદના સહવાસથી ઘણે આન્દ થયે. ભરૂચમાં શ્રી રત્નસાગરજી મહારાજ કે જે ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજના વિદ્વાન પરદેશગમન શિષ્ય હતા, તેમને પરિચય થયો. શ્રી રત્નસાગરજીના ઉપદેશથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ અને ધાર્મિક શિક્ષણમાં વૃદ્ધિ થઈ. શેઠ અનુપચંદ મલુક વગેરેએ શ્રીયુત સાંકળચંદના ગુણોની અનુ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy