________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિનાથ ચૈત્યવંદન બાવીશમાં શ્રી નેમિનાથ, ઘેર બ્રહ્મત્રત ધારી; શક્તિ અનંતી જેહની, ત્રણ ભુવન સુખકારી. ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રને, વાસુદેવે સવે; ચકવતિ નેમિને, સેવે રહી અગ. કૃષ્ણાદિક ભક્તો ઘણું છે, જેની સેવા સારે; એવા પરમેશ્વર વિભુ, સેવંતાં સુખ ભારે.
નેમિનાથ સ્તવન, (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગધીરે કાય-એ રાગ). નેમિ જિનેશ્વર વંદીએ, થાઈજે સુખકાર; દ્રવ્યકર્મ ને ભાવકમ જેણે હણ્યાં, ધર્મચકી નિર્ધાર. નેમિ- ૧ ચેત્રીશ અતિશયે શોભતા, બારગુણે ગુણવંત વાણુ ગુણ પાંત્રીશન ધારક જિનપતિ, રૂપારૂપી ભદંત. નેમિ- ૨ વીશ સ્થાનકમાંહી એકનું, આરાધન કરી બેશ પૂર્વ ભવે તીર્થકર નામને બાંધિયું, ટાળ્યા સર્વે કલેશ. નેમિ. ૩ ચઉનિક્ષેપે ધ્યાવતાં, સાતનચેકરી જ્ઞાન, નિજ આતમ અરિહંતપણું જહિદ વરે, ટાળી મેહનું તાન. નેમિ. ૪ તુજ અનુભવ જેણે કર્યો, તે નહીં બાંધે કર્મ, શાતા અશાતા ભેગવે તે સમભાવથી, વેદે આતમ શર્મ નેમિ૦ ૫ તિભાવ નિજશકિતને, આવિર્ભાવ જે અંશ; તે અંશે મુક્તિ ને મુક્તતા આત્મમાં, વતે છે સાપેક્ષ, નેમિ. ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાનના-પરિણમે છે અભેદ બુદ્ધિસાગર એક્તા પ્રભુની સાથમાં, પાપે અનુભવ એક. નેમિ- ૭
નેમિનાથ સ્તુતિ. દ્રવ્ય ભાવથી નેમિ સરખા, બળિયા જેને થાવેજી. જૈનધર્મ પ્રસરાવે જગમાં, શુભ પરિણામના દાવેજી શુભ તે ધર્મ પ્રશસ્ય કષાયે, કરતાં પુણ્યને બાંધે, શુદ્ધ પરિણામે વર્તતાં, મુક્તિ ક્ષણમાં સાધે છે.
For Private And Personal Use Only