________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
પ્રભુ પ્રેમતાન,
( મહીયારી? મહીનું મૂલ બતાવેા. એ રાગ. )
પરમેશ્વરરે મહાવીર પ્રભુ જયકારી, તુજ પ્રીતિ લાગી ઘટ ભારી. તારૂં જેવું સ્વરૂપ તેવું મારે,જ્ઞાનાનન્દ સ્વરૂપ એક સારે, જડાના થકી એ ન્યારૂં, બ્રહ્મ સત્તા એક છે ભાજી રે; તાલાવેલીરે એક સ્વરૂપે લાગી, એક તાને થયે પ્રભુ રાગી. ૫૦ ૧ ચિદાનંદ અસંખ્યપ્રદેશીર, નિર્મોહી ન રાગી ન દ્વેષીરે; જ્ઞાનાનન્દરે નિજ સ્વરૂપ પ્રવેશી, મળ્યા મનમેાહન બ્રહ્મદેશી. ૫૦ ૨ ચિદાનન્દ પ્રગટ પ્રભુ પાયારે, અનુભવે હૃદય પરખાયારે; તુજ રસથીરે ઇન્દ્રિય મન રસ ટળિયા, જ્ઞાનાનન્દ સ્વરૂપે મળિયા, પરમેશ્વરરે ૩
તારા મારા છે ધર્મ એકરે, ભેદાબેને એકાનેકરે; તું તે હું છુંરે હું છું તે તું પાતે, એકરૂપે અળતુળ ન્યાતે. ૫૦ ૪ જ્ઞાન દર્શન ચારિત્રરૂપીર, સાપેક્ષાએ રૂપારૂપીરે; શાતાશાતારે વેદની પુદ્ગલ ન્યારા, એક પરબ્રહ્મ તું પ્યારે.
પરમેશ્વરે પ
જ્ઞાન દર્શન ચરણુ વિલાસીરે, લેાકાલાક અનંત પ્રાશીરે; સર્વ માંહીરે સર્વથકી તું ન્યારા, સર્વવિશ્વના તું આધારો. જગ થાળીમાં જ્ઞાન વિ દ્વીપેરે, કરૂં આરતી કર્મને અપેરે; અનુભવનારે મ‘ગલદીપ ઉચ્ચારૂં, તુજ વણુ જગ નહીં કાઇ પ્યારૂં, પરમેશ્વરરે ૭
વિશ્વ દેવળમાં પ્રભુ દીઠારે, લાગ્યા પૂર્ણાનન્દી મીઠારે; બુદ્ધિસાગરરે આતમ મહાવીર દેવા, આપેાઆપ કરૂં પ્રભુ સેવા.
પરમેશ્વરરે૦ ૮
સુ. પ્રાંતિજ.
For Private And Personal Use Only
૫૦ દ