________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
જગલાચન જિનવર મહા ઉપકારી દેવા, કર ભાવે ચેતન !! તીર્થંકરની સેવા; અરિહંત અનંત થયા થાશે ને થાવ, લળી લળી પ્રણમુ તીર્થંકર સાચા ભાવે.
૨ સિદ્ધપદ સ્તુતિ.
( છપ્પય છંદ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ લો ભગવત, પ્રભુ શિવ સુખના ભાગી, નિર્મલ ક્ષાયિક ભાવ –થકી નિશ્ચયથી યાગી, ધરી અચલ અવગાહ, મુકિતના સ્થાન સુહાયા, સર્વકર્માંથી મુકત, સિદ્ધ શિવનગરી રાયા; અજ અમર પરમ જિનરાજને, વન્દતાં દુ:ખ જાય છે, સ્વામી સેવકભાવ નહિ જ્યાં, શર્મ અનંતુ થાય છે. વો પૂજો સિદ્ધ બુદ્ધને નિશદિન ધ્યાવા, સિદ્ધ બુદ્ધ પરમાત્મ વિભુને નિશદિન ગાવે; સિદ્ધ સનાતન પરમ મહેાદય શિવમાં વસિયા, ક્ષાચિક નવલબ્ધિના, ભાગી શિવસુખ રસિયા, સિદ્ધ યુદ્ધના ધ્યાનથી તે, આતમ તેવા થાય છે, શ્વાસેાશ્ર્વાસે સમરવાથી, જન્મ જરા ભય જાય છે.
૩ આચાર્યપદ સ્તુતિ. ( છંય છન્દ્ગ )
પાળે પંચાચાર પળાવે સૂરિવર સાચા, જ્ઞાની ધ્યાની કથન કરે છે જિનની વાચા; વીર જિનેશ્વર તીર્થ ચલાવે ભાવદયાથી, શાસનના સુલતાન સૂરિવર, વીર ગયાથી; ગચ્છ સૂરીશ્વર સેવીએ આચારજ સુખદાય છે, દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવે, સૂરિવરા પરખાય છે.
For Private And Personal Use Only