________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મપ્રભુ સ્તવન. (મને સહાય કરશે મોરારીરે -એ રાગ.). પ્રભુ પદ્ય છે પ્રાણથી પ્યારારે, રહે નાથ નિમિષ ન ન્યારા. (એ ટેક) આપ સુધારા કાઢે રે કુધારા, કર્મગ્રંથિ કાપવાને કુઠારા, સુભક્તિ દ્વારા વ્યાપિ જ્ઞાનામૃત ધારા,સારા શમથી સ્વભાવ સુખકારા. ધ્યાન દ્વારા ધ્યેયરૂપે, આપ ધ્યાતાં તારનારા. પ્ર. ૧ સાણંદ મંડળી ઈછે સુભાવથી, સુબુદ્ધિ વૃદ્ધિ ઉદારા; દેવાધિદેવ દયા કરીને દયાળુ, દૂર કરશો કુચાલ જે નઠારા. આપ આજ્ઞા પાળીએ જેમ, તેમ પ્રેરશે પ્રભુ પ્યારા. પ્ર. ૨
પપ્રભુસ્તવન, (આતમ વિશ્વપ્રકાશક પૂરણ છે પરમાતમારે–એ રાગ) પદ્મપ્રભુ જિન મેટા દેવ હૃદયમાં ધારીએ રે; ફરીને મળ કયાં આ મનુષ્ય જન્મ પ્રસંગ, ધરીને અભંગ રંગ ઉમંગે દુઃખ નિવારીએરે. એ ધ્રુવ. સદગુરૂ દેવ ધર્મ એ તત્વ નિત્ય વિચારીએ રે, થાવા સત્વર પ્રાણધાર સિદ્ધને સંગાપદ્મપ્રભુ ૧
સાખી પ્રભુનું જે ચિંતન કરે, તે તન્મય થઈ જાય; ઈલી ભમરી સંગ , મુજ મન એહ સહાય. ઘડી ઘડી મંગળકર પ્રભુ નામ મુખે ઉચ્ચારીએ રે; પાપ પલંકથી દૂર થાવા જાણે ગંગ પ પ્રભુત્ર ૨
સાખી કાલ અનાદિ ભવ ભમે, પુદગલ સંગે જીવ, નરકતણું દુઃખ ભેગવ્યાં, પાડતાં બહુ રીવ. પુણ્ય મનુષ્ય જન્મ પામીને કર્મ નિવારોએરે, ત્યજીએ રાગ દ્વેષ કુટિલતા ને કઢંગ
દ્મપ્રભુ ૩
For Private And Personal Use Only