________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુદગલભાવના ખેલથી, ચિત્તવૃત્તિ હઠાવું, પરમાનન્દની મેજમાં, નિર્મલ પદ પાવું. વિમલ. ૨, અન્તર રમણતા આદરી, ધ્રુવતા નિજ વરશું; મનમેહન જગનાથના, ઉપયોગથી તરશું. વિમલ. ૩ અસંખ્યપ્રદેશી આતમા, નિત્યાનિત્ય વિલાસી; સ્યાદ્વાદસત્તામયી સદા, જેતા ટળતી ઉદાસી. વિમલ. ૪ પુદગલ-મમતા ત્યાગીને, અન્તરમાં રહીશું, અનુભવઅમૃતવાદથી, અક્ષયસુખ લહીશું.
વિમલ, ૫ કાયા–વાણું-મનથકી, વિમલેશ્વર જ્યારે; શુદ્ધ પરિણતિભક્તિથી, ભેટીશું પ્રભુ પ્યારે. વિમલ. ૬ સ્થિરઉપગપ્રભાવથી, એક ધાતથી મળશું, બુદ્ધિસાગર ભક્તિથી, તિ તિમાં ભળશું. વિમલ. ૭
૧૪ અનંતનાથસ્તવન. (શાંતિજીન! એક મુજ વિનતિ-એ રાગ.) અનન્ત જિનેશ્વર નાથને, વન્દતાં પાપ પલાયરે રવિ આગળ તમ શું? રહે, પ્રભુ ભજે મેહ વિલાયરે. અનન્ત. ૧ અનન્ત ગુણપર્યાયપાત્ર તું, વ્યક્તિ એવંભૂત સાર; સંગ્રહનય પરિપૂર્ણતા, ધ્યાતા તે વ્યક્તિથી ધારરે. અનન્ત. ૨ ઉપશમભાવ ક્ષયોપશમથી, સાધ્યની સિદ્ધિ કરાયરે, ધર્મ નિજ વસ્તુસ્વભાવમાં, સ્થિર ઉપયોગ સુહાયરે. અનન્ત, ૩ જ્ઞાનદર્શનચરણ-ગુણવિના, વ્યવહાર કુલઆચારરે; સાધ્યલયે શુદ્ધ ચેતના, જાણે શુક્રવ્યવહારરે. અનન્ત. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, પયય દ્રવ્ય અનન્તરે શુદ્ધ આલંબન આદરી, વ્યક્તિથી થાય ભદંતરે. અનન્ત. ૫ સ્વકીય દ્રવ્યાદિકભાવથી, અનંતતા અસ્તિપણે સારરે, પદ્રવ્યાદિક અસ્તિની,-નાસ્તિતા અનન્ત વિચારરે. અનન્ત. ૬ વીર્ય અનઃ સામર્થ્યથી, ઉત્પાદ-વ્યય પ્રતિદ્રવ્યરે; છતિ પર્યાયથી ધ્રુવતા, સમય સમયમાંહિ ભવ્યરે અનન્ત ૭
For Private And Personal Use Only