________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પણ તેઓએ અધિક ઉપદ્રવ કર્યો. માટે તેનું ફળ દેખાડું, જેની આંખમાં વિષ રહેલું છે, એવા મોટા ફણીધરને નાગરાજે મોકલ્યા, તેમણે સાઠ હજાર કુમારને બાળી ભસ્મ કર્યા. ભસ્મીભૂત થએલા સર્વે સગર રાજાના પુત્રને જોઈ સેવામાં હાહાકાર થયે. મંત્રીએ કહ્યું કે એ સર્વે તીર્થની રક્ષા કરવામાં મરણ પામ્યા માટે તેમની સારી ગતિ થશે, માટે કેમ શેક કરે જોઈએ ? અહિંથી જલદી પ્રયાણ કરે, અનુકમે પ્રયાણ કરતા રાજધાની નગર સમીપે આવ્યા.
સામંત અમાએ વિચાર્યું કે સગરને તેના પુત્રનું મરણ આપણાથી શી રીતે કહી શકાય? તે પુત્ર મરણ પામ્યા અને અમે જીવતા આવ્યા એમ કહેવું ઠીક લાગતું નથી, માટે આપણે સર્વે અગ્નિમાં બળી મરીએ, એ વિચાર
www.kobatirth.org
For Private And Personal Use Only